શું આપશે?
. . શું આપશે?
તાઃ૧૨/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોની કેટલી લાયકાત જીવનમાં,અનુભવથી સમજાઇ જાય
શું આપશે ને ક્યારે કેટલું તમને,એતો સમય બતાવી જાય
. …………………કોની કેટલી લાયકાત જીવનમાં.
મુઠી ભરીને લઈને ધરી જાય,ને ખોબો ધરીને જુએ એ રાહ
કળીયુગની અજ્ઞાનતાએ માનવી,બુધ્ધિથી દુર થઈ જાય
સમજણને નેવે મુકીને જીવતાં,અનંત તકલીફો મળી જાય
અપેક્ષાને આબાદી દેતા જીવનમાં,માનવતા મહેંકી જાય
. …………………કોની કેટલી લાયકાત જીવનમાં.
મંદીર કરી કળીયુગને ખેંચીને,માનવતાને ફસાવતા જાય
સાધુસંતની શી લાયકાત જગે,ભીખ માગીનેએજીવી જાય
માનવીની નિખાલસતાને ફસાવી,જગે લહેર એ કરી જાય
ના આપી શકે એજીવન,કે ના પત્થરમાં એ પ્રાણ પુરી જાય
. ……………………કોની કેટલી લાયકાત જીવનમાં.
===================================