September 19th 2014

પ્રેમાળ સ્નેહ

.                          .પ્રેમાળ સ્નેહ

તાઃ૬/૯/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર પ્રેમની સાચી કેડીએ,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
નિર્મળતાના પ્રેમાળ સ્નેહે,અનંત શાંન્તિ જીવને મળી જાય
.                    ……………………પવિત્ર પ્રેમની સાચી કેડીએ.
ઉજ્વળતાનીરાહ મળે જીવનમાં,પાવનકર્મ જીવનમાં થાય
સુખ શાંન્તિના વાદળ મળતા,સંત જલાસાંઇને વંદન થાય
કર્મનીકેડી એ બંધન છે જીવના,સાચી ભક્તિએ જ સચવાય
આવન જાવન જીવને જકડે,અવનીપર આગમને સમજાય
.                     ……………………પવિત્ર પ્રેમની સાચી કેડીએ.
મળેલ કાયાને પારખી લેતાજ,સાચી રાહ જીવને મળી જાય
કર્મબંધનની કેડી છુટે,જીવનમાં પ્રેમની જ્યોત પ્રગટી જાય
અંતરમાંઆનંદ અનેરો મળતા,લાગણીમોહને એતોડી જાય
મુક્તિ માર્ગના દ્વાર ખુલતા કૃપાએ, જીવને  મુક્તિ મળી જાય
.                     …………………….પવિત્ર પ્રેમની સાચી કેડીએ.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment