September 19th 2014

સ્નેહાળ રાત્રી

.                                .સ્નેહાળ રાત્રી

તાઃ૨૮/૮/૨૦૧૪                                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

.         .પોરબંદરની સાંકડી શેરીમાં રામજી મંદીરની બાજુમાં આવેલ મકાનોમાં ત્રીજા નંબરના
મકાનમાં  મનુભાઈ પરિવાર સહિત રહેતા હતા. મળેલા સંસ્કાર અને માબાપના પ્રેમને કારણે
જીવનમાં ભક્તિ અને ભણતરને પકડી ઉજ્વળ જીવનનીરાહ મેળવી લેતાં તે સરદાર હાઇસ્કુલમાં
શિક્ષક તરીકેની નોકરી મેળવી  હાઇસ્કુલમાં વિધ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન,ગુજરાતી,હીન્દીઅને
સંસ્કૃત ભાષા શિખવી રહ્યા હતા.તેમની પત્ની સવિતાબેન પણ માબાપે આપેલ રાહે કૉલેજમાં
બે વર્ષ ભણ્યા બાદ યોગ્ય પાત્ર દેખાતા માબાપે તેને મનુભાઇ સાથે લગ્ન કરી સંસારની કેડી
આપી હતી. સવિતાબેન ભણતર અને મળેલ સંસ્કાર પ્રમાણે બુધ્ધિને યોગ્ય માર્ગે લઈ જતા
દેખાતા હતા કારણ દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પતિને પગે લાગીને ચા નાસ્તો  બનાવી
ઘરમા કરેલ મંદીરમાં જ્યાં મા અંબા,મા કાળકા,મા દુર્ગા, માતા પાર્વતીજી,શ્રી ભોલેનાથ,
સીતારામ, અને સંત શ્રી જલારામ તથા સાંઇબાબાની પુંજા આરતી કરતા હતા.
.                 .સમય તો કોઇથી પકડાતો નથી. હા તેની સાથે ચાલવા પ્રયત્ન કરો તો થોડો લાભ
મળે. લગ્ન બાદ  મનુભાઇને ઘરમાં થતી પુંજાને કારણે પરમાત્માની કૃપા મળતી હોય તેમ
લાગતુ હતુ. તેમને સ્કુલમાં પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરવાની તક મળી.
વિધ્યાર્થીઓનાસ્પેશ્યલ ક્લાસ મળ્યા અને આવકપણ વધી.તેમને સવિતાની ભક્તિનો
જ આ પ્રતાપ છે તેજણાતા તેમણે પણ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઇ તૈયાર થઈ
ભગવાનની પુંજા કરવાની શરૂ કરી દીધી. લગ્ન બાદ ત્રીજા વર્ષે રાજકોટની હાઇસ્કુલમાંથી
તેમને જે પગાર અહીંની સ્કુલમાં મળતો હતો તેનાથી ડબલ પગારની ઓફર આવી.તેમણે
સવિતાને વાત કરી અને તે વાતમાં સહમત થતા તેઓ માર્ચ માસમાં રાજકોટમાં એક મકાન
ભાડે રાખીને સ્કુલમાં નોકરી શરૂ કરી દીધી.
.             .દરરોજ સવારમાં સુર્યના ઉદયને વંદન કરી પાણીથી અર્ચના કરવાની ટેવ મનુભાઇને
બાળપણથી માબાપની ભક્તિએ માર્ગદર્શન મળેલ.તેઓ દરરોજ સુર્ય અર્ચના કરતા અને
ત્યારબાદપ્રભુને દીવો અગરબત્તી કરી ચા નાસ્તો કરી નોકરી કરવા નીકળી જતા.તેમના
પત્ની પણ સમયસર ઉઠી ચા નાસ્તો તૈયાર કરી સ્નાન  કરી પુંજન અર્ચન કરી રસોડામાં
આવી તેમના પતિની સાથે ચા નાસ્તો કરતા.આ તેમના જીવનની દરરોજનીરીત હતી.
સમય તો રોકાય નહીં.ચાર વર્ષ બાદ સવિતાબેને દીવાળીના આગલે દીવસે પુત્રને જન્મ
આપ્યો માતાની કૃપાએ અને પ્રેરણાએ માબાપે તે સંતાનને નિખીલ નામ આપ્યુ. અને તે
નામને સાર્થક કરવાનો પ્રયત્નકરતો હોય તેમ માબાપને અણસાર થતો.અને તે તેના
અભ્યાસમાં મળતી લાયકાતથી દેખાતુ.
.               .સમયતો કોઇથી પકડાતો નથી, પણ કોઇપણ જીવ તેની સાથે ચાલવા પ્રયત્ન કરે
તો પરમાત્માની  કૃપાએ થોડો લાભ મળે છે.સવિતાબેને નવરાત્રીના નવમા દીવસે પુત્રીને
આગમન આપ્યુ.પવિત્ર દીવસે જન્મ થયો.માતાની અસીમ કૃપા અને સવિતાબેનની નિર્મળ
ભક્તિએ જ દીકરીનુ પૃથ્વીપર આગમન થયુ અને તેને સાધના નામ આપ્યુ. નાનપણથી
જ તે પોતાના મોટાભાઇને વ્હાલ કરતી. ભાઇની સાથે બેસીને ચા નાસ્તો કરતી  અને તેની
થાળીમાંથી પણ એ ખાઇ જતી અને રમત પણ રમતી. સમય ચાલવા માંડ્યો. નિખીલે હાઇસ્કુલ
પ્રથમ  ક્લાસે પાસ કરી અને કૉલેજમાં પણ પ્રવેશ મળી ગયો.ભણતરમાં ઘણા સારા માર્ક્સ
મળેલ તેથી તેને કૉલેજમાં બે વર્ષ બાદ મેડીકલમાં પ્રવેશ મળી ગયો. જો કે સાધના તો
નિખીલને વ્હાલથી ડૉક્ટર કહેતી એ તેની ટેવ હતી.અને સમય આવતા જ્યારે નિખીલને
મૅડીકલમાં પ્રવેશ મળ્યો ત્યારે તેણે સાધનાને બાથમાં લઈ કહ્યું જો બહેનતુ મને ડૉક્ટર
કહેતી હતી ને તે હવે હુ ડૉક્ટર થવાનો કેવો તારો વ્હાલ હતો જે મને યોગ્ય માર્ગે લઈ જાય છે.
.             .સાધના પણ માબાપને વ્હાલ કરતી અને સમય આવતા હાઇસ્કુલમાંથી ઘણા જ
સારા માર્કે પાસ થઈ. તેની ઇચ્છા એ હતી કે તે યોગ્ય રીતે ભણતર મેળવી જીવનના પાયાને
મજબુત કરે.તેણે ભણતરમાં ઘણી સારીરાહ લેતાં તેને કૉલેજમાં પ્રોફેસરની નોકરી મળી અને
તે પણ ઘણી જ સારી રીતે કરી રહી હતી. નિખીલ પણ  સમય આવતા ડૉકટરની ડીગ્રી મેળવી
લઇ અને તેને પણ સરકારી હોસ્પીટલમાં નોકરી મળી ગઈ.નોકરી બાદ બીજા વર્ષે તે જ
હોસ્પીટલમાં નર્સની નોકરી કરતી તેમની જ જ્ઞાતિની રાગીણી નામની છોકરી જેના માબાપ
પણ  ડૉક્ટર છે તેમણે સામેથી નિખીલને વિનંતી કરી અને તેના માબાપની સાથે વાત કરી
તેમની દીકરીને તારી સાથે પરણાવવાની ઇચ્છા વ્યક્ત કરી.સવિતાબેન અને મનુભાઇને
જ્યારે આ માહિતી મળી ત્યારે તેમને  ઘણો જ આનંદ થયો કારણ તેમના દીકરાને તેના
વ્યવસાયમાં કામ કરતી છોકરી અને તેના માબાપ પણ તે વ્યવસાયમાં છે એટલે હા પાડી
અને માતાની કૃપા થતા સમયસર નિખીલના લગ્ન રાગીણી સાથે થઈ ગયા. બંન્ને એક જ
વ્યવસાયમાં જોડાયેલ હોઇ કોઇપણ જાતની અડચણ કે તકલીફ ન હતી પડતી.અને તેથી
ત્રણ વર્ષ બાદ બંન્ને એ પોતાના માબાપની પરવાનગી મેળવી એક નવુ ઘર વેચાતુ લઈ
જીવનની નવી કેડી શરૂ કરી.
.             .પ્રેમની કેડી પકડીને ચાલતા મનુભાઇ હવે નિવૃત્ત થયા એટલે હવે કુટુંબની કોઇ
જવાબદારી રહી નહીં તેમના પત્નિ પણ નિખાલસ પ્રેમથી ભક્તિ પકડીને પોતાનો સંસાર
ચલાવી રહ્યા હતા.તેઓ બન્ને મળેલ માનવજીવન સાર્થક કરી જીવી રહ્યા હતા. તેમના સંતાનો
પણ વડીલોના આશિર્વાદ મેળવી માનવતાની મહેંક પ્રસરાવીરહ્યા હતા.જીવનમાં સમય તો
કોઇથી પકડાતો નથી પણ તેની સાથે ચાલવા સાચી શ્રધ્ધાએ પ્રયત્ન કરી એ તોપરમાત્મા
કૃપા કરે અને સાચી રાહ પણ મળે. એક વખત નવરાત્રીના સમયે મનુભાઇને તેમના ઘણા જુના
મિત્ર  દામોદરભાઇ મુલાકાત થઈ. તે દસ વર્ષ કેનેડા તેમના સાળાને ત્યાં રહ્યા હવે કાયમ
માટે તે ભારત પાછા આવી ગયા. વર્ષો પછી જુના મિત્રને મળતા ઘણોજ આનંદ થયો.
મનુભાઇએ તેમને ઘેર આવવાની વિનંતી કરી. અનેરવિવારે તેમની પત્ની સાથે મનુભાઇને
ત્યાં આવ્યા.લાંબાસમયે મળ્યા એટલે સાથે બેસી નાસ્તો કર્તા ઘણી બધી જુની યાદોને યાદ
કરી આનંદ કર્યો. દીકરો નિખીલ ડૉક્ટર થયો તેની પત્ની નર્સ છે,બેબી સાધના પણકૉલેજમાં
પ્રોફેસરની નોકરી કરે છે તેવાત કરતા હતા અને તેજ વખતે સાધના કૉમ્પ્યુટર પર કૉલેજનુ
કામ પતાવી રસોડામાંથી ચા લઈ પપ્પા મમ્મી અને મહેમાન માટે આપવા આવી  આવેલા
મહેમાનને પગે લાગીઅને પાછી પોતાની રૂમમાં ગઇ. દામોદરભાઇ એ મનુભાઇને પુછ્યુ કે
આ દીકરી પરણી છે કે કુંવારી છે.તો મનુભાઇએ કહ્યુ કે હમણા બે વર્ષથી કોલેજમાં પ્રોફેસરની
નોકરી મળી છે હજુ કુંવારી છે. દામોદરભાઇને પોતાની પત્નીએ વાત કરતા કહ્યુ કે તમારા
નાના ભાઇ રણછોડભાઇનો દીકરો મનોજ એન્જીનીયર છે અને હજુ કુવારો છે તો મને યોગ્ય
લાગે છે કે તે દીકરા માટે આ દીકરી યોગ્ય પાત્ર છે. તો જો તમને યોગ્ય લાગતુ હોય તો
આપણે   આગળ વધીયે. મહેમાનોના ગયા બાદ બીજા શનિવારે મનુભાઇએ અને સવિતાબેને
તેમની દીકરીને લગ્ન માટેવાત કરી. સાધનાએ કહ્યુ કે તમને જે યોગ્ય લાગે તે કરો હું તે
કરવા તૈયાર છું.મનુભાઇએ બીજે દીવસે દામોદરભાઇને ફોન કરી કે તમે તમારી અનુકુળતાએ
તમારા ભાઇને અને તેમના દીકરાને લઇને મળવા અને વાતચીત કરવા આવો દામોદરભાઇએ
તેમના ભાઇ સાથે વાત કરી મનુભાઇને ફોન કરી જણાવ્યુ કે આવતા  બુધવારે સાંજે છ વાગ્યા
પછીતમારે ઘેર આવીશું. સમય પ્રમાણે તેઓ ઘેર આવ્યા સાધના પણ કૉલેજથી પાંચવાગે
આવી ગઈ હતી.મનુભાઇએ વાતચીત કર્યા બાદ દીકરી સાધનાને બોલાવી તે આવી અને
પછી આવેલામનોજને તેમણે કહ્યુ કે બેટા તમે બંન્ને થોડી વ્યક્તીગત વાતો કરી પછી અમને
પરવાનગી આપો. બાજુની રૂમમાં મનોજ અને સાધના વાતચીત કરી બહાર આવ્યા પિતાને
મનોજે સાધના સાથે લગ્ન કરવાની હા પાડી.અને વાર તહેવાર નક્કી કરી  તેમના લગ્ન પણ
થઈ ગયા. તેમના સંતાનો નિખીલ અને સાધના પણ પોતાની જીવનની કેડીને યોગ્ય માર્ગે
ચાલતા હતા.
.               .તેમનો નાનો દીકરો રાકેશ ભણતરમાં થોડો પાછળ છે તેવું પિતા મનુભાઇ અને
માતા સવિતાબેનનેલાગતુ હતું તેમણે ઘણી વખત તેને કહ્યુ પણ છતા તેની રાહ બદલતો
ન હતો. અંતે માતાએ અંબામાતા અને કુળદેવી કાળકામાતાને દીવો કરી પ્રાર્થના કરી કે
તેમના દીકરાનેમાતા સાચા માર્ગે લઈ જઈ જીવનની જ્યોતપ્રગટાવે. નવરાત્રીનો તહેવાર
આવી રહ્યો હતો એક રાત્રે સ્વપ્નામાં માતાએ સવિતા બેનને રાહ બતાવી કેઆવી રહેલી
નવરાત્રીએ શ્રધ્ધા રાખીને  એક વખત જમીને દરરોજ સાંજે ઘરમાં માતાના નામે દીવો
કરવાનુ દીકરાને કહો. આ સ્વપ્નાની વાત તેમણે તેમના પતિ મનુભાઇને કહી.તેમણે
ઘરમાં મંદીરમાં દીવો કરી પ્રાર્થના  સહિત વંદન  કરી વિનંતી કરી કે હે પ્રભુ હે માતાજી
આ નવરાત્રીએ દીકરો નહી કરે તો હું અપવાસ અને નવરાત્રી કરીશ. નવરાત્રીના બે
દીવસ પહેલા જ માતાએ દીકરા રાકેશને કહ્યુ કે બેટા આપણા હીન્દુ તહેવારમાં  નવરાત્રી
એ પવિત્ર તહેવાર છે તુ આ વખતે નવરાત્રી કરીશ તો તને મા કૃપા કરી બધી રીતે સાચી
રાહે લઈ જશે.દીકરાએ  મમ્મીને પુછ્યુ કે નવરાત્રીમાં શુ કરવાનું તો મમ્મી કહે દરરોજ
એક વખતજમવાનુ અને રાત્રે ગરબામાં જઈ  આરતી કરી પાછુ ઘેર આવી જવાનુ.સારૂ
મમ્મી હુ આ નવરાત્રી  કરીશ. રાત્રે સવિતાબેને પતિને વાત કરી . રાકેશ આ નવરાત્રી
કરશે. નવરાત્રીના નવેનવ દીવસ રાકેશે સાચા પ્રેમ અને સ્નેહથી માતાની શ્રધ્ધાથી સેવા કરી.
.            .માતાની અસીમ કૃપાનો અનુભવ થયો હાઇસ્કુલમાં અને કૉલૅજમાં ઘણા સારા માર્કસથી
પ્રથમ ક્લાસેપાસ થયો અને પોતાના જીવનની કેડી વકીલ તરીકે શરૂ કરી. જીવનમાં સાચી રાહ
માતાની સ્નેહાળ રાત્રીથી  મળી ગઈ એજ માતની કૃપા એજ સાચી ભક્તિ અને એજ પવિત્ર કર્મ.

=================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment