December 18th 2014

.ઉજ્વળકેડી

                       .ઉજ્વળકેડી

તા:/૧૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ જીવને,જ્યાં ભોલેનાથની કૃપા થઇ જાય
આગમન અવનીપર થતાં,જીવને ભક્તિરાહ મળી જાય
.                         …………………..મળે માનવદેહ જીવને.
કર્મનીકેડી છે જીવના બંધન,એ પરમ કૃપાએજ સચવાય
મોહમાયાની સાંકળ છુટતાં,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
લાગણીમોહને પાવન કરતા,જીવને ભક્તિપ્રેમ મળી જાય
ના અંતરમાં કોઇ ઉભરોરહે,કે ના કર્મના બંધન જકડી જાય
.                      …………………….. મળે માનવદેહ જીવને.
જીવને મળે ઉજ્વળ કેડી,જ્યાં નિશ્વાર્થ ભાવે પ્રભુને ભજાય
આવી શાંન્તિમળે જીવને,શ્રધ્ધાએ ભોલેનાથને વંદનથાય
ૐ નમઃ શિવાય ના જાપે,જીવને સાચી રાહ પણ મળી જાય
અંતે મળે જીવને મુક્તિ અવનીથી,સ્વર્ગની રાહે ચાલી જાય
.                         …………………….મળે માનવદેહ જીવને.

=======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment