.ઉજ્વળકેડી
.ઉજ્વળકેડી
તા:૯/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ જીવને,જ્યાં ભોલેનાથની કૃપા થઇ જાય
આગમન અવનીપર થતાં,જીવને ભક્તિરાહ મળી જાય
. …………………..મળે માનવદેહ જીવને.
કર્મનીકેડી છે જીવના બંધન,એ પરમ કૃપાએજ સચવાય
મોહમાયાની સાંકળ છુટતાં,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
લાગણીમોહને પાવન કરતા,જીવને ભક્તિપ્રેમ મળી જાય
ના અંતરમાં કોઇ ઉભરોરહે,કે ના કર્મના બંધન જકડી જાય
. …………………….. મળે માનવદેહ જીવને.
જીવને મળે ઉજ્વળ કેડી,જ્યાં નિશ્વાર્થ ભાવે પ્રભુને ભજાય
આવી શાંન્તિમળે જીવને,શ્રધ્ધાએ ભોલેનાથને વંદનથાય
ૐ નમઃ શિવાય ના જાપે,જીવને સાચી રાહ પણ મળી જાય
અંતે મળે જીવને મુક્તિ અવનીથી,સ્વર્ગની રાહે ચાલી જાય
. …………………….મળે માનવદેહ જીવને.
=======================================