April 21st 2015

અપેક્ષાનો ભંડાર

.             .અપેક્ષાનો ભંડાર

તાઃ૧૩/૪/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાની શીતળકેડી મળે જીવને,જ્યાં ભક્તિ સાચી થાય
પાવનકર્મને પકડી ચાલતા,અપેક્ષાની કેડીઓ છુટી જાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
માયાનુ બંધનછે જગતમાંએવુ,જે નિર્મળતાને તોડી જાય
મુક્તિ માર્ગને પામી લેવા,સંત જલા સાંઇની ભક્તિ થાય
પકડે માનવતાને કળીયુગ,ના જગતમાં કોઇથીય છટકાય
અપેક્ષાના આભને આંબવા,પરમાત્માને પારખી પુંજા થાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
કર્મનાબંધન છે જીવના સંબંધ,ના કોઇથીય જગે છટકાય
કુદરતની આ અપાર લીલા,અવનીપર દેહ મળતા દેખાય
માનવમનને જકડે કળીયુગીકાતર,સાચીભક્તિએ સમજાય
પાવન રાહ મળતા જીવનમાં,અપેક્ષાનો ભંડાર ભાગી જાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment