સવાર સાંજ
. .સવાર સાંજ
તાઃ૯/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે દેહને સવાર સાંજ,જ્યાં સુરજ આવે ને જાય
એજ પૃથ્વીની પરિક્રમા,જીવને અનુભવે દેખાય
……..એ વિશ્વપિતાની છે કૃપા,જે જગતને સાચવી જાય.
સુર્યદેવનો ઉદય ને અસ્ત,જગે સમય આપી જાય
મળેલ દેહની દ્રષ્ટિએ,જગતમાં ઉદયઅસ્ત દેખાય
અજબશક્તિ છે સુર્યદેવની,ને તેમના દર્શન થાય
બીજા અનેક દેવો છે,જેને ફક્ત નામથી ઓળખાય
……..એવી અનેક પત્થરની મુર્તી બનાવીને પુંજા થાય.
કૃપાઅજબ છે સુર્યદેવની,જે સમય સમજાવી જાય
અવનીપરના આગમને,જીવને આજકાલ સમજાય
મળે સવાર જીવને જગે,ત્યાંજ કર્મનીકેડી મળી જાય
વિદાય થતાં સુર્યકિરણની,જીવને પથારી મળીજાય
……..એ અજબલીલા સુર્યદેવની,અર્ચનાએ જ મેળવાય. ************************************