April 28th 2015

મળે માબાપનો પ્રેમ

.            .મળે માબાપનો પ્રેમ

તાઃ૨૮/૪/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જ્યાં સંસ્કાર સાચવીને  જીવાય
ઉજ્વળરાહ મળે જીવનમાં,જ્યાં માબાપના આશિર્વાદમેળવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
કર્મબંધન એ છે જીવનો સંબંધ,જીવને જન્મમૃત્યુથી  જ દેખાય
કરેલકર્મની કેડી છે બંધન,જીવને અવનીએ દેહ મળે સમજાય
મળેલ મોહમાયા એજ છે સીડી,જે જીવને ઉપરનીચે લઈજાય
અવનીપર આવી કરેલ કર્મ,એજન્મમરણના સંબંધે  સમજાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
માન સન્માન કર્તા માબાપના,પ્રેમે આશિર્વાદની વર્ષા થાય
આફત લાફત દુર જ ભાગે,જ્યાં મળેલ જીવન નિર્મળ જીવાય
મારૂ તારૂની માયા છુટતા,ના જીવનમાં આફત કોઇ મેળવાય
જલાસાંઇની કૃપામળેજીવને,જેમાબાપના આશિર્વાદ કહેવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment