આગમન ૨૦૧૬નુ
. .આગમન ૨૦૧૬નુ
તાઃ૨૮/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહને સંબંધ છે ઉંમરથી,જે સમયની સાથે ચાલી જાય
અવનીને અડે છે આવતી કાલ,જે વર્ષોવર્ષથી દેખાય
………..જન્મ મળે ત્યાં જીવન સ્પર્શે,જે ના કોઇથીય પકડાય.
પરમાત્મા એદેહ લીધો અવનીએ,જે ભુતકાળ કહેવાય
જન્મમળે ત્યાં મૃત્યુસ્પર્શે,ના પ્રભુ રામકૃષ્ણથી છોડાય
અનેક વર્ષો થઈગયા જગતપર,ના કોઇથીય છટકાય
આવતીસાલ એતો આગમન છે,જેને સં.૨૦૧૬ કહેવાય
……….એજ કુદરતની લીલા છે,જે સાચી ભક્તિએજ સમજાય.
થયેલકર્મ એછે ભુતકાળ,ને આવતીકાલની રાહ જોવાય
પગલુભરતા પહેલા સમજી ચાલતા,શાંન્તિ જીવને થાય
સં.૨૦૧૫ એ હવે ભુતકાલ થશે,ને હવે આવશે સં.૨૦૧૬
આ જ પરમાત્માની રાહ અવનીએ,ના કોઇથીય છટકાય
……….એજ કુદરતની લીલા છે,જે સાચી ભક્તિએજ સમજાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$