પકડેલ રાહ
. . પકડેલ રાહ
તાઃ૧/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ પકડતા જીવનમાં,નિર્મળ પ્રેમની વર્ષા થઇ જાય
મનને માનવતા સ્પર્શે પ્રેમની,જ્યાં ભક્તિસાગર મળી જાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
સારુ નરસુ એ કુદરતની લીલા,સમયને સાચવતા સમજાય
પવિત્ર આંગણુ પ્રેમથી કરતા,પરમાત્માની કૃપા આવી જાય
એ જીવનની જ્યોતબને,જે પ્રભુકૃપાએ જન્મસફળ કરી જાય
જીવને મળેલ માનવદેહ,પકડેલ ભક્તિરાહે મુક્તિપામીજાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
માનવ જીવનમાં માગણી કરતાં,મળેલ જીવન કથડી જાય
અપેક્ષા છે કળીયુગની કેડી,જે જીવન લઘર વઘર કરી જાય
નિર્મળ રાહે ભક્તિ કરતાજ,જીવ પર જલાસાંઇની કૃપા થાય
પવિત્રપ્રેમની પકડેલ રાહ,અવનીપરના બંધનને તોડી જાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++