December 23rd 2017

જન્મ અને મરણ

.          .જન્મ અને મરણ        

તાઃ૨૩/૧૨/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મમરણ નો સંબંધ છે જીવને,જગતમાં ના કોઇથીય છટકાય
કાયામાયાની તો સાંકળછે અદભુત,એ દેહના વર્તનથીજ દેખાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
મળે જીવને માવનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય.
કર્મના બંધન એ સંબંધ જીવના,જગત પર દેહ મળતા જ દેખાય
પાવનરાહ એ પવિત્ર કર્મની કેડી,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી થાય
ઉજવળ જીવન એ કૃપા પ્રભુની,સંત જલાસાંઇની કેડીએ મેળવાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીપર,જે જન્મમરણના બંધનેજ દેખાય
મળેલ દેહનો સંબંધ કરેલકર્મથી,એ પશુપક્ષી માનવદેહ આપી જાય
વાણીવર્તનને ભક્તિ મળે માનવદેહને,જે જીવને સદમાર્ગે દોરી જાય
જીવને સંબંધ છે દેહથી અવનીએ,જે સમય સમયેજ સમજાઈ જાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
====================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment