પ્રત્યક્ષ દેવ
****** . પ્રત્યક્ષ દેવ તાઃ૨/૩/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતપર પ્રત્યક્ષદેવ શ્રી સુર્યનારાયણ છે,જે જીવોને દર્શન આપી જાય જીવને મળેલદેહથી પ્રાર્થના કરતા,સુખશાંંતિનો સંગાથ પણ મળી જાય ......એવા અજબ શક્તિશાળી દેવ છે,જગતપર સવારસાંજે દર્શન આપી જાય. પરમકૃપાળુ છે જગતપર અબજો વર્ષોથી,જીવોને સમયથી સમજાઇ જાય એજ પ્રત્યક્ષદેવ છે જેના દર્શને સવાર મળીજાય,જ્યાં દુનીયા જાગી જાય દીવસથી તેમની વિદાયને સુર્યાસ્ત કહેવાય,જગત પર સંધ્યા થઈ કહેવાય એજ પવિત્રઆગમન ને પવિત્રવિદાય કહેવાય,જેનો પ્રત્યક્ષ અનુભવ થાય ......એવા અજબ શક્તિશાળી દેવ છે,જગતપર સવારસાંજે દર્શન આપી જાય. માનવજીવનની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએજ પ્રેમથી અર્ચના થાય રાંદલમાતાની કૃપા થાય પ્રદીપપર,જ્યાં સુર્યદેવ સંગે રાંદલમાતાનેવંદનથાય સવાર સાંજના હાથ જોડીને દર્શન કરતા,પરિવારને પણ કૃપા મળી જાય ના કોઈ અપેક્ષા કે માયા સ્પર્શે જીવનમાં,જે જીવને મુક્તિમાર્ગે દોરી જાય ......એવા અજબ શક્તિશાળી દેવ છે,જગતપર સવારસાંજે દર્શન આપી જાય. ************************************************************