May 22nd 2018

સમય પકડ જે

.             .સમય પકડ જે

તાઃ૨૨/૫/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
કુદરતની છે અજબલીલા અવનીપર,સમય સમયે એ પસાર થાય
જીવને મળેલ દેહને એસ્પર્શે જીવનમાં,જે નિર્મળપ્રેમે જ સમજાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
જન્મ મળેલ દેહને સર્વ પ્રથમ,માબાપનો અનંતપ્રેમજ મળી જાય
સમય મળે ઉંમરને પકડતા,જે બાળપણથી જુવાનીએ લઈ જાય
ઉજવળ જીવનની કેડી મળે દેહને,જ્યાં ભણતરને પકડીને ચલાય
ભણતર એ બને છે ચણતર દેહનું,જે ઉજવળરાહ મળતા સમજાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,એ થયેલ કર્મના સંબંધથી મળી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની છે,જે દેહને સમજ આપતા જીવાય
સમયને પકડી ચાલતો માનવી,જીવનમાં અનેક વર્તનથી એ દેખાય
નિર્મળ ભાવનનો સંગ રાખતા,મળેલ દેહથી સમયને પકડીને ચલાય 
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
==========================================================

	
May 22nd 2018

જ્યોતી પ્રગટે

.            .જ્યોતી પ્રગટે   

તાઃ૨૨/૫/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની રાહ પકડી ચાલતા,પાવનકર્મની કેડીએ જીવાય
અનંતપ્રેમની વર્ષા થતા જીવનમાં,પવિત્રભક્તિ જ્યોત મળી જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
જીવને સંબંધ છે કર્મનો જગત પર,જે દેહ મળતા જ અનુભવ થાય
પાવનકર્મ એજ પરમાત્માની કૃપા,ના જગતમાં કોઇ જીવથી છટકાય
પ્રેમની જ્યોત જીવનમાં પ્રગટે,જે સંબંધીઓના  સહવાસથી સમજાય
શ્રધ્ધા અને ભાવનાથી પુંજન અર્ચન કરતા,સુર્યદેવની કૃપા થઈ જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
મળેલદેહની એકેડી જગતપર,જે અનેકરીતે જીવને અનુભવ આપી જાય
અનેક જીવોનો સંબંધ અવનીપર લેવાય,જે પશુપક્ષી માનવીથી દેખાય
કરેલપવિત્રકર્મ એમળેલદેહની,જગતપર પાવનરાહનીજ્યોત પ્રગટાવી જાય
માનવદેહને સત્કર્મનો સંગાથ સ્પર્શે,જન્મમરણના બંધનથી દુર લઈ જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
===========================================================