July 1st 2018
. .મહાકાળી
તાઃ૧/૭/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહે જીવન જીવતા,મા મહાકાળીની અનંતકૃપા મળી જાય
માનવદેહે સહવાસ મળે,જ્યાં મા પાવાગઢથી કાસોર આવી જાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
વ્હાલી માવડી છે અમારી કુળદેવી,જે જગતમાં મહાકાળી કહેવાય
અજબશક્તિની કૃપા મળે માતાની,અમને પવિત્રજીવન આપી જાય
સરળ જીવનમાં નામોહ રહે,કે નાકોઇ માગણી જીવને સ્પર્શી જાય
મળેલ માનવદેહને સંબંધછે પરિવારથી,જે કુળને આગળ લઈ જાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
પવિત્રપર્વત પાવાગઢ ગુજરાતમાં,જ્યાં મહાકાળીના દર્શનકરી શકાય
ઉંમરને ના આંબે માનવી જીવનમાં,જે પર્વતના પગથીયા છોડી જાય
માતાજીનો પવિત્રપ્રેમ સંતાનપર,એ કાસોરમાં માતાજીનાદર્શને દેખાય
પ્રદીપને નિર્મળરાહમળી જીવનમાં,જે કુળદેવી માકાળીનીકૃપા કહેવાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
=======================================================