July 25th 2018

આરાસુરથી આવ્યા

…… Image result for આરાસુરથી આવ્યા

.              આરાસુરથી આવ્યા

તાઃ૨૨/૭/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રભાવે ગરબે ઘુમતા ભક્તોની શ્રધ્ધાએ,માતાની કૃપા મળતી થઈ
આરાસુરથી આવ્યા માઅંબા,હ્યુસ્ટનમાં ભક્તોને અનંતશાંંન્તિ મળીગઈ
.....એજ કૃપા મા અંબાની ભક્તોપર,જે નવરાત્રીમાં ગરબે ઘુમતા મળી ગઈ.
માડી તારા ગરબે ઘુમતા તાલીઓના તાલ સંગે,અંતરમાં આનંદ થાય
ભક્તિભાવ સંગે પાવનરાહે માડીને ભજતા,અનંત શ્રધ્ધા પ્રસરતી જાય
નવરાત્રીના પવિત્ર  દીવસે માતાજી આવ્યા,જે પડતા તાલથી સમજાય
જય અંબેમા જય અંબેમાના સ્મરણ સંગે,ભક્તો માતાને વંદન કરીજાય   
.....એજ કૃપા મા અંબાની ભક્તોપર,જે નવરાત્રીમાં ગરબે ઘુમતા મળી ગઈ.
અનંત કૃપાળુ માતાને ભજતા,પ્રેમને પારખી માતાજી દર્શન આપી જાય
નવરાત્રીના નવદીવસે નિર્મળભાવના સંગે,ગરબાને પવિત્રતાલ મળીજાય
કુદરતની આ અજબકૃપા,જે પવિત્રદીવસોના સંગાથે ધર્મથી આપી જાય
મળે જીવનમાં અનંતશાંંન્તિ માતાની કૃપાએ,જ્યાં સમયપારખીને જીવાય
.....એજ કૃપા મા અંબાની ભક્તોપર,જે નવરાત્રીમાં ગરબે ઘુમતા મળી ગઈ.
==========================================================