October 21st 2018

સંગાથ મળે

.             .સંગાથ મળે    
 
તાઃ૨૧/૧૦/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પ્રેમ છે પરમાત્માનો જગતપર,જીવને અનુભવે સમજાય
સફળતાનો સહવાસમળે દેહને,જ્યાં સર્જનહારનો સંગાથ મળી જાય
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
અવનીપર અજબલીલા છે કુદરતની,જે મળેલદેહને સમયથી દેખાય
કરેલકર્મ એતો બંધન છે જીવના,એ જગતપર દેહ મળતા સમજાય
નાઅપેક્ષા દેહનીહોય જીવનમાં,ત્યાં મળેલદેહ પાવનરાહ મેળવીજાય
સરળ જીવનની રાહ મળતા દેહને,પરમાત્માની કૃપાનો સંગાથ મળે
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
કુટુંબનો સંબંધ એ જીવના કર્મનો સાથ,જે કુળને આગળ લઈ જાય
ઉંમરને તો સમયનો સંગાથ અવનીએ,જેને સમયનો સંગાથ કહેવાય
મળતી માયાને સમજી ચાલતા જીવનમાં,ના આફત કોઇ અડી જાય
એ મળેલ માનવદેહને સમયે સમજાય,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય 
......જે દેહને પાવનકર્મની રાહે દોરે,એજ સન્માનનો સહવાસ આપી જાય.
========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment