April 18th 2019

શીતળ જીવન

.            .શીતળ જીવન 

તાઃ૧૮/૪/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ શ્રધ્ધાનો સંગ રાખીને ભક્તિ કર્તા,પરમાત્માની કૃપા મળી જાય 
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,જે જીવને દેહના કર્મથી સમજાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
સદમાર્ગની કેડી મળે દેહને,જ્યાં શ્રધ્ધા ભાવથી પરમાત્માને વંદન થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રાખતા,મળેલ માનવ જીવન સત્કર્મથી દોરાય
અદભુત લીલા પરમાત્માની જગતપર,જે સતયુગ કળીયુગમાં અનુભવાય
સાચીરાહ મળે જન્મ મળેલદેહને,જીવનમાં અનેક પવિત્રકર્મ કરાવી જાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
સમયનો સાથ સ્પર્શે માનવ દેહને,જે અનેક કર્મથી દેહને વર્તન દઈ જાય
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,શીતળતાનો સંગાથ મળી જાય
ભક્તિની પાવનરાહે જીવન જીવતા,જીવનમાં અનંતશાંંતિ કૃપા આપીજાય
મળેલ માનવદેહના જીવને પવિત્રરાહ મળે,જે ઉજ્વળ જીવનથી સમજાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
==========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment