April 23rd 2019

પરમાત્મા કૃપા

.           .પરમાત્મા કૃપા
તાઃ૨૩/૪/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરેલ કર્મને સંબંધ છે અવનીપર,જે જીવને દેહ થકી આગમન આપી જાય
મળેલદેહના થઈ રહેલ નિર્મળ કર્મથી,સરળ જીવનની પાવનરાહ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય.
સમય સમજીને ચાલતા દેહને,કર્મની રાહ જીવનમાં મળતા પ્રેમ મળી જાય
અભિમાનને આંગણેથી દુર રાખતા જીવનમાં,નિર્મળપ્રેમનો સંગાથ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે કુદરતનીકૃપા જીવને પાવનજીવન દઈ જાય
દેહથી થઈ રહેલ અનંત સત્કર્મ જીવનમાં,પવિત્ર્રરાહથી જ જીવને પ્રેરી જાય 
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
જીવને મળેલદેહ એ પાવનકર્મ કરે,જ્યાં શ્રધ્ધાપ્રેમથી પરમાત્માનુ પુંજન થાય
પાવનરાહને પકડી જીવન જીવતા અવનીપર,સંસ્કારનો સંગાથપણ મળી જાય
આજકાલને ભુલી જતા અદભુત જીવનનીરાહ,માનવજીવનને પાવન કરી જાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રાખતા મૃત્યુ મળતા,જીવને અંતે મુક્તિ મળી જાય
......એ જીવને મળેલ દેહના પવિત્રકર્મથી,પરમાત્માની પાવનકૃપા પણ મેળવાય
=============================================================
April 23rd 2019

રામનામની માળા

.             .રામનામની માળા

તાઃ૨૩/૪/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરના આગમનનો સંબંધ છે જીવને,જે થયેલકર્મથી દેહ મેળવાય 
જન્મમરણ એ દેહને સ્પર્શે જગતપર,એજ અનેક સમયથી કેડી કહેવાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
પરમાત્માએ લીધેલ અનેક દેહ ભારતપર,એ જીવને પાવનરાહે દોરી જાય
શ્રધ્ધા ભાવનાથી પુજન કરતા જીવનમાં,સત્કર્મનો સંગાથ પણ મળી જાય
મળેલ દેહની નાકોઇ અપેક્ષારહે,જે જીવને પાવનરાહે પ્રેરણા આપી જાય
સત્કર્મ એજ પ્રેરણા પ્રભુની જીવ પર,જે મળેલ દેહના વર્તનથી જ દેખાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
સરળ જીવનની રાહ મળે દેહને,જે જગત પર અનંત શાંંતિ આપી જાય
પાવનરાહની પ્રેરણા મળે કૃપાએ,જ્યાં નિખાલસ ભાવનાથીજ પુંજા થાય
માનવજીવન એજ રાહ જીવની,જે પાવન કર્મ તરફ આંગળી ચીંધી જાય
ભક્તિભાવથી માળા કરતા પરમાત્માની,જીવને મુક્તિમાર્ગ પણ મળી જાય 
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
==========================================================
April 23rd 2019

જાગતો રહે

.             .જાગતો રહે

તાઃ૨૩/૪/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહની મહેંક પ્રસરે અવનીપર,જે જીવને સદમાર્ગે દોરી જાય
અંતરમાં આનંદ મળે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપાજ થઈ જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
નિર્મળતાનો સંગાથ મળે દેહને,જ્યાં જીવનમાં કોઇ જ અપેક્ષા નારખાય
કુદરતની કેડી એ પરમાત્માની પ્રેરણા,અવનીપર અનેક રાહ આપી જાય
સમયની સાથે સમજીને ચાલતા,મળેલ દેહને શાંંતિનો સંગાથ મળી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
અનેકકર્મના બંધન છે મળેલ દેહને,એ દેહથી થઈ રહેલ કર્મથીજ સમજાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં પરમશ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
ના કોઇ આશા હોય મળેલ દેહની જીવનમાં,જયાં જલાસાંઇની કૃપા થાય
ભક્તિભાવથી પવિત્ર કેડી મળે દેહને,જે મળેલદેહને પ્રેમે જાગતો કરી જાય 
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
==========================================================