April 23rd 2019

જાગતો રહે

.             .જાગતો રહે

તાઃ૨૩/૪/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહની મહેંક પ્રસરે અવનીપર,જે જીવને સદમાર્ગે દોરી જાય
અંતરમાં આનંદ મળે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપાજ થઈ જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
નિર્મળતાનો સંગાથ મળે દેહને,જ્યાં જીવનમાં કોઇ જ અપેક્ષા નારખાય
કુદરતની કેડી એ પરમાત્માની પ્રેરણા,અવનીપર અનેક રાહ આપી જાય
સમયની સાથે સમજીને ચાલતા,મળેલ દેહને શાંંતિનો સંગાથ મળી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
અનેકકર્મના બંધન છે મળેલ દેહને,એ દેહથી થઈ રહેલ કર્મથીજ સમજાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં પરમશ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
ના કોઇ આશા હોય મળેલ દેહની જીવનમાં,જયાં જલાસાંઇની કૃપા થાય
ભક્તિભાવથી પવિત્ર કેડી મળે દેહને,જે મળેલદેહને પ્રેમે જાગતો કરી જાય 
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
==========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment