April 19th 2019

કુદરતની કેડી

.             કુદરતની કેડી    

તાઃ૧૯/૪/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહની કેડી પકડી ચાલતા,મળેલ દેહને જીવનમાં સુખશાંંતિ મળતી જાય
મોહમાયાનો સંગાથ મળતા દેહને,જીવનમાં અનેક આફતનો સંગાથ મળી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
નાસમયની સમજણ પડે દેહને,એ અદભુતલીલા પરમાત્મા અવનીપર આપી જાય
મળેલ દેહને કર્મનોસંબંધ અવનીપર,જે જીવને અનેકમાર્ગ આપી કર્મ કરાવી જાય
જીવનમાં થયેલકર્મ જીવને જન્મમરણનો સંબંધ આપે,જે આવનજાવન આપી જાય
ના કોઇ જીવની તાકાત જગતપર,જે કુદરતની કેડીથી કદી દુર રહી ચાલી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી જ મળી જાય
ના અપેક્ષાની કોઈજ જરૂર પડે દેહને,એજ જીવને સત્માર્ગે પાવનરાહે દોરી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતપર,જે જીવને મળેલ દેહને પવિત્ર કેડી આપી જાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,એ શ્રધ્ધાથી થતી ભક્તિથી કૃપા મળી જાય
......એજ છે કુદરતની કેડી અવનીપર,જે કુદરત અને કળીયુગની કાતર કહેવાય.
=============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment