June 7th 2019

પવિત્રપાવન રાહ

.            .પવિત્રપાવન રાહ         

તાઃ૭/૬/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભક્તિભાવના પારખી ચાલતા જીવનમાં,અનંત કૃપા પરમાત્માની થઈ જાય
ના મોહની માયા અડી જાય,કે ના કોઇજ અભિમાનની ચાદર સ્પર્શી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા પરમાત્માની,મળેલ જીવનમાં પાવનકૃપા મળીજાય
કળીયુગથી ના બચે કોઇજ જીવ અવનીપર,એજ સમયની સાંકળ કહેવાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જ્યાં નિખાલસ ભાવથી જીવાય
અનેક કર્મનીકેડી છે અવનીપર,જે સરળજીવનસંગે આફતોપણ આપી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
દેખાવની ચાદર અડે જીવનમાં,જે અનેકના કાર્યને સફળતાથી દુર લઈ જાય
મળેલ માયાને ના પારખતા જીવનમાં,અભિમાનસંગે માતાની કૃપા મેંળવાય
પાવનરાહની કેડી મળે જીવને,જે પવિત્રજીવનનો સંગાથ મળતા અનુભવાય
એજ કૃપામળી સંત જલાસાંઇની મને,જેસત્કર્મના સંગાથે પ્રેરણા આપી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
===============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment