June 12th 2019

પવિત્રજીવન

.               .પવિત્રજીવન 

 તાઃ૧૨/૬/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળ્યો પરમાત્માનો જીવનમાં,જે સુખશાંંતિનો સહવાસ આપી જાય
મળેલ માનવદેહને પાવનકર્મની રાહ મળે,એજ જીવર્ને મુક્તિમાર્ગેજ લઈ જાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
જન્મમરણ એ સંબંધ અવનીપર જીવનો,જે અનેક સ્વરૂપે જીવને મળતો જાય
થયેલકર્મ એજ કુદરતની લીલા અવનીપર,દેહમળતા જીવને અનુભવ થઈ જાય
માનવદેહ એકૃપા પરમાત્માની જીવપર,જીવનમાં સમજણનો સંગાથઆપી જાય
પવિત્રભુમી ભારત છે જગતપર,જ્યાં પરમકૃપાએ પરમાત્મા દેહ લઈ પ્રેરી જાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાએ ભક્તિ કરાય
પાવનરાહની કેડી મળતા નિર્મળભાવનાએ,જીવનમાં ભક્તિનો સંગાથ મેળવાય
કળીયુગ અને કુદરતનીલીલાથી બચવા,મળેલદેહને પવિત્રરાહ કૃપાએ મળીજાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,જીવને પરમાત્માનો પાવનપ્રેમ પણ મળીજાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
===============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment