June 17th 2019

નિર્મળતાનો સંગ

.             .નિર્મળતાનો સંગ   

તાઃ૧૭/૬/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નિર્મળપ્રેમનો સંગાથ મળ્યો જીવનમાં,શ્રી બમબમ ભોલેનાથ મહાદેવનો
હ્યુસ્ટન આવ્યા પવિત્ર શ્રધ્ધા લઈને,ઇંદ્રવદનભાઈના નામથી ઓળખાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય. 
કુદરતની પાવનકૃપા થઈ જીવ પર,જે તેમની પાવનકર્મની કેડીએ દેખાય
પરમાત્માનો પ્રેમ લઈને હ્યુસ્ટનઆવ્યા,એજ અમને પાવનરાહે દોરી જાય
મળેલ માનવદેહને પાવનરાહે લઈને ચાલતા,હરહર મહાદેવ પણ બોલાય
સરળજીવનનો સંગાથ મળ્યો,જે તેમની કલાનીરાહે કલાપ્રેમીઓને દેખાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય. 
આવ્યામારે આંગણે પવિત્રપ્રેમ લઈ,એપિતા શંકરભગવાનની કૃપા કહેવાય
અનંત આનંદની વર્ષા થઈ જીવનમાં,જે નિખાલસ ભક્તિરાહ આપી જાય
મળ્યો નિખાલસ પ્રેમ કુટુંબનો,જે શ્રી ઇંદ્રવદનભાઇના સંગે જ આવી જાય
પાવનકૃપા ને પાવનપ્રેમ મળે જીવને,એજ પરમાત્માનો અનંત પ્રેમ કકેવાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય.
કલાની પાવનરાહે હ્યુસ્ટનમાં દર્શકોને,અનેક કાર્યક્રમથી આનંદ આપી જાય
સરળજીવન સંગે પાવનકર્મની રાહમળે,જે માનવદેહને આંગળી ચીંધી જાય
પવિત્ર કૃપા મળે જીવનમાં દેહને,એ મળેલ દેહના વર્તનથી જગતપર દેખાય
મળેલ આશીર્વાદ આપના માનવદેહને,ઉજવળ જીવનસંગે શાંંતિ આપીજાય
......એવા પાવનરાહી અનેક જીવોને,પવિત્રકર્મનો સંગાથ પણ આપી જાય.
==========================================================
   પુજ્ય શ્રી ઇંદ્રવદનભાઈ ત્રિવેદીને શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment