June 27th 2019

અનુભવની કેડી

.           .અનુભવની કેડી  

તાઃ૨૭/૬/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને અવનીપર,પરમાત્માકૃપાએ અનેક અનુભવ થાય
સમજણનો સંગાથ રાખીને જીવતા,પવિત્રકર્મનો સંગાથ મળી જાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
કર્મનોસંબંધ છે દેહને,જે સમયની સાથે મળેલ દેહને એ દોરી જાય
પવિત્રકર્મ થાય માનવજીવનમાં,જ્યાં સંતજલાસાંઇની પાવનકૃપાથાય
નાકોઇ અપેક્ષાની કેડી અડે,કે નાકોઇ મોહમાયા પણ સ્પર્શી જાય
સરળજીવનની રાહ મળે દેહને,જે અંતે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
આગમન અવનીપર જીવનુ થાય,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
સદમાર્ગથી થયેલ કર્મ માનવદેહને,સુખશાંંતિનો સંગાથ આપી જાય
અદભુતલીલા અવનીપર અવિનાશીની,જે જીવને સદમાર્ગે લઈ જાય
પ્રભુકૃપાએ મળેલદેહને અંતે મુક્તિમળે,જેથયેલકર્મ પ્રેરણા આપીજાય
......જે મળેલદેહના થઈ રહેલ કર્મથી,જીવને અનુભવની કેડીએ સમજાય.
=======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment