કેડી કર્મની
. .કેડી કર્મની
તાઃ૩૦/૬/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવજીવનનો સંગાથ જીવને,જે થયેલ કર્મના સંબંધથી મેળવાય સદમાર્ગની રાહ મળે જીવનમાં,એનેજ પાવન કર્મની કેડી કહેવાય ......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય. સરળજીવનની રાહ મળે દેહને,જ્યાં નિર્મળભાવનાએ ભક્તિ કરાય પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જે દેહને સમય સંગેજ સમજાય નિર્મળ ભાવના એ જીવન જીવાય,ના કોઇજ મોહમાયા અડી જાય જે જીવને કળીયુગ અને કુદરતનીકેડીથી બચાવી,શાંંતિ આપી જાય ......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય. અનેક સ્વરૂપે દેહ લીધો પરમાત્માએ,ભારતનીભુમી પવિત્ર કરી જાય સરળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સુખશાંન્તિ પણ મળી જાય કર્મની કેડી એજ થયેલ કર્મ દેહના,જે જીવને સમય સમયેજ સમજાય ના કોઇ અપેક્ષા રહે દેહની જીવનમાં,જ્યાં કુદરતની કૃપા વર્ષી જાય ......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય. =======================================================