June 14th 2020
. .શેરડી સાંઇ
તાઃ૧૪/૬/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાર્વતી પતિ મહાદેવની પાવનકૃપા,પવિત્રદેહના આગમનથી દેખાય
શેરડી ગામને પાવન કરવા જ પધાર્યા,ના માબાપનો સંબંધ લેવાય
.....એ સાંઇબાબાથી ઓળખાય અચાનક,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળી જાય.
આવ્યા અવનીપર પરમાત્મા દેહલઈ,ના માબાપનો કોઇ સ્પર્શથાય
પાવનરાહે જીવનજીવી,મળેલ માનવદેહને એ માનવતા આપી જાય
ભારતની ધરતીપર શેરડી ગામને,પવિત્રકરવા ભોલેનાથની કૃપાથાય
મળેલદેહને માનવી રીતે જીવવા,ના ધર્મનો કોઇ અંધકાર મળીજાય
.....રાહ બતાવી અવનીપર,નાઅલ્લા ઇશ્વરને દુર રખાય કે શ્રધ્ધાસબુરી પકડાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,માનવદેહ પર પરમાત્માની કૃપા થાય
શ્રધ્ધા શબુરી એક જ રાહ છે,જે હિંદુમુસ્લીમ માનવદેહથી બોલાય
મળેલ માનવદેહને એકજ ભાવના છે,જે અલ્લા ઇશ્વરથી જ પુંજાય
અવનીપરનો આગમનવિદાય,એ જીવના કર્મનો સંબંધથી મેળવાય
.....પ્રેમ મળ્યો સાંઇબાબાનો મને,જે નાતજાતનો જીવનમાં કોઇ સ્પર્શ આપી જાય.
==============================================================