ઉજ્વળતાના વાદળ
. .ઉજ્વળતાના વાદળ
તાઃ૩૦/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિરાહને મેળવાય
પાવનકર્મની પવિત્રકેડીએ જીવતા,ઉજ્વળતાના વાદળ વર્ષી જાય.
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
મળે જીવનમાં પ્રેમ નિખાલસ,ના અપેક્ષા કોઇ જીવનમાં અડી જાય
માનવતાની મહેંકપ્રસરે,અવનીએમળેલદેહ પવિત્રરાહે ચાલી જાય
કળીયુગની કાતરના સ્પર્શે,કે ના કોઇ સુખદુખની અપેક્ષાય રહીજાય
ઉજ્વળતાના વાદળની વર્ષા થાય,ત્યાંજમળેલદેહ પવિત્ર થઈ જાય
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
મારૂ તારૂ એ સ્પર્ષે દેહને જીવનમાં,જે માનવદેહના વર્તનથી દેખાય
ઉજ્વળ રાહ એ કૃપા જલાસાંઇની,એ જગતમાં જન્મ સફળ કરી જાય
મળે માનવ દેહ જીવને અવનીએ,જે કર્મના બંધનથી જ મળી જાય
અસીમ કૃપાએ જ દ્રષ્ટિ અવિનાશીની,માનવ જન્મ સફળ કરી જાય
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
===========================================