May 10th 2017
. .દેહનો સંબંધ
તાઃ૧૦/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખનો સંબંધ છે દેહને,જે જીવને દેહ મળતા અનુભવાય
કુદરતની છે આ કરામત અવનીએ,અબજો વર્ષોથીએ ગંઠાય
......ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
સત્કર્મનો સંગાથ રાખતા જીવનમાં,પરમાત્માનીકૃપા થઈ જાય
મળે માનવતાની નિર્મળકેડી જીવને,સુખનો સંગાથ મળી જાય
પવિત્ર પાવનકર્મ શ્રધ્ધા એ થતા,દેહથી દુઃખ દુર ભાગી જાય
મળેલ દેહને સ્પર્શે પ્રભુકૃપા,ત્યાં દેહને અનંતશાંન્તિ મળી જાય
.....ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
અવની પર અનેક દેહ મળે જીવને,જે તેના બંધનથી મેળવાય
માનવદેહ પર પ્રભુની કૃપા થતા,જન્મમરણના બંધન છુટીજાય
જીવને દેહનો સંબંધ રહે,જ્યાં કર્મનાબંધન જીવને સ્પર્શી જાય
આવન જાવનએ લીલા અવિનાશીની,જે થયેલ કર્મથી સમજાય
.....ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
====================================================
No comments yet.