February 3rd 2018
. .નિર્મળપ્રેમ જ્યોત
તાઃ૩/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવને દેહ અવનીપર,કર્મસંબંધે કુદરતની કૃપાએજ મેળવાય
જન્મમરણ એ દેહના સંબંધ,જે જગત પર મળેલ દેહથી સમજાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીએ,જે કુદરતને પ્રેરણા આપી જાય
સંબંધ બંધન એ દેહની કેડી અવનીએ,અનેક કર્મથી ર્સ્પશી જાય
માનવતાની મહેંક પ્રસરે અવનીએ.જ્યાં નિર્મળરાહે જીવન જીવાય
મળે જીવનમાં પ્રેમનિખાલસ,જ્યાં અપેક્ષાના વાદળથી દુર રહેવાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
મળે માબાપનોજ પ્રેમ સંતાનને,જ્યાં નિર્મળ ભાવનાથી વંદન થાય
પતિપત્નીના નિર્મળ પ્રેમે કુટુંબમાં,જીવને સંતાનનો દેહ મળી જાય
સમયના સંગને પકડી દેહે જીવતા,સુખ સાગરની વર્ષાય થઈ જાય
જે જીવનમાં નિર્મળ પ્રેમની રાહ આપે,દેહને સત્કર્મનો સંબંધ થાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
=======================================================
No comments yet.