February 12th 2018
. .મહા શિવરાત્રી
તાઃ૧૩/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પતિ શ્રી ભોલેનાથ,જગતમાં અજબ શક્તિશાળી કહેવાય
પવિત્ર ગંગાનુ આગમન ભારતમાં હિમાલયપર કરી,પવિત્રજળ આપી જાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી,પાવનરાહ આપી જાય.
ૐ નમઃ શિવાયના સ્મરણ સંગે,શિવલીંગ પર શ્રધ્ધાએ દુધ અર્ચના કરાય
મહા શિવરાત્રી એ શંકર ભગવાનનો,અવનીપર પ્રાગટ્ય દીનથી ઓળખાય
વંદન કરી પ્રાર્થના કરતા પિતા ભોલેનાથની,જીવ પર પાવનકૃપા થઈ જાય
અજબકૃપા મળે માતાપિતાની જીવને,જે માપાર્વતી પિતાભોલેનાથ કહેવાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી પાવનરાહ આપી જાય.
શ્રધ્ધાસંગે પગે લાગીને વંદન કરતા,પ્રદીપ,રમાને સુખશાંંન્તિનો અનુભવ થાય
ભક્તિમાર્ગે જીવન જીવતા કૃપાએ,સંતાનને નિર્મળ પવિત્રરાહ પણ મળી જાય
એજ કૃપા પિતાશિવજીની સંગે માપાર્વતીની,જગતપર અનેક નામે ઓળખાય
એ પવિત્રદીવસ છે મહાશિવરાત્રી જગતપર,જ્યાં પિતાનુ શ્રધ્ધાએ પુંજન થાય
.......જે જીવોને જન્મમરણના બંધનથી મુક્તિ આપી,પાવનરાહ આપી જાય.
***********************************************************