February 24th 2018

સિધ્ધી

.            .સિધ્ધી  

તાઃ૨૪/૨/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેક જીવનુ આગમન અવનીપર,ના કોઇ જીવથી દુર રહેવાય
કર્મની કેડી એજ સ્પર્શે જીવને,જેજીવને દેહ મળતા અનુભવાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
કુદરતની એ લીલા અવનીપર,જીવને કળીયુગ સતયુગથી દેખાય
પાવનરાહને પકડી જીવતા,જીવનમાં સફળ કર્મની રાહ મેળવાય
નાકોઇ માગણી પરમાત્માથી,કે નાજીવને કોઇઅપેક્ષા અડી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,સત્કર્મ દેહને સ્પર્શી જાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
રામનામની નિર્મળભક્તિ જીવનમાં,સદમાર્ગની પાવનરાહ આપીજાય
મળેલ માનવદેહ એજકૃપા પ્રભુની,નાકળીયુગ કે સતયુગ સ્પર્શી જાય
જીવને બંધન છે કર્મના જગત પર,અનેક દેહ મળતા અનુભવ થાય
પ્રેમની પાવનરાહે જીવન જીવતા,સંબંધીઓનો નિર્મળપ્રેમ મળી જાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
===========================================================

	
February 24th 2018

માનવકર્મ

.           .માનવકર્મ
તાઃ૨૪/૨/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
મળેલ માનવદેહને કૃપા મળે,જીવને અનંત શાંંન્તિ મળીજાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
અનેક સંબંધ છે મળેલ દેહને,જે જીવનમાં સમયે મળતો જાય
માનવદેહ એજીવને સ્પર્શે,ના કોઇજ જીવથી જગતમાં છટકાય
કર્મનાબંધન એ કુદરતની કૃપા,જે નિખાલસ કર્મથી અનુભવાય
ના માગણી ના અપેક્ષા અડે દેહને,જે મળેલ દેહથીજ સમજાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
અદભુતશક્તિ અવિનાશીની,અબજો જીવોને નિર્મળતા આપી જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા જ,કૃપાએ શાંંન્તિની વર્ષા થઈ જાય
સફળતાનો સહવાસ સ્પર્શે દેહને,જીવને સત્કર્મની રાહ મળી જાય
ઉજવળ જીવન એ બંધન કર્મના,જ્યાં નિખાલસતાથી પુંજન થાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
====================================================