February 24th 2018

માનવકર્મ

.           .માનવકર્મ
તાઃ૨૪/૨/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
મળેલ માનવદેહને કૃપા મળે,જીવને અનંત શાંંન્તિ મળીજાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
અનેક સંબંધ છે મળેલ દેહને,જે જીવનમાં સમયે મળતો જાય
માનવદેહ એજીવને સ્પર્શે,ના કોઇજ જીવથી જગતમાં છટકાય
કર્મનાબંધન એ કુદરતની કૃપા,જે નિખાલસ કર્મથી અનુભવાય
ના માગણી ના અપેક્ષા અડે દેહને,જે મળેલ દેહથીજ સમજાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
અદભુતશક્તિ અવિનાશીની,અબજો જીવોને નિર્મળતા આપી જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા જ,કૃપાએ શાંંન્તિની વર્ષા થઈ જાય
સફળતાનો સહવાસ સ્પર્શે દેહને,જીવને સત્કર્મની રાહ મળી જાય
ઉજવળ જીવન એ બંધન કર્મના,જ્યાં નિખાલસતાથી પુંજન થાય
......એજ સાચી ભક્તિ જીવનમાં,સંત જલાસાંઇને રાજી કરી જાય.
====================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment