February 24th 2018

સિધ્ધી

.            .સિધ્ધી  

તાઃ૨૪/૨/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેક જીવનુ આગમન અવનીપર,ના કોઇ જીવથી દુર રહેવાય
કર્મની કેડી એજ સ્પર્શે જીવને,જેજીવને દેહ મળતા અનુભવાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
કુદરતની એ લીલા અવનીપર,જીવને કળીયુગ સતયુગથી દેખાય
પાવનરાહને પકડી જીવતા,જીવનમાં સફળ કર્મની રાહ મેળવાય
નાકોઇ માગણી પરમાત્માથી,કે નાજીવને કોઇઅપેક્ષા અડી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,સત્કર્મ દેહને સ્પર્શી જાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
રામનામની નિર્મળભક્તિ જીવનમાં,સદમાર્ગની પાવનરાહ આપીજાય
મળેલ માનવદેહ એજકૃપા પ્રભુની,નાકળીયુગ કે સતયુગ સ્પર્શી જાય
જીવને બંધન છે કર્મના જગત પર,અનેક દેહ મળતા અનુભવ થાય
પ્રેમની પાવનરાહે જીવન જીવતા,સંબંધીઓનો નિર્મળપ્રેમ મળી જાય
.......એજ કૃપા મા રિધ્ધીસિધ્ધીની,જે વિઘ્નવિનાયક દેવની કૃપાએ સમજાય
===========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment