July 2nd 2013
. . સાચી ઓળખ
તાઃ૨/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવતી કાલને ઓળખી લેતા,ગઈકાલ સુધરી જાય
મનમાં સાચી સમજણ મળતાં,કર્મપાવન થઈજાય
. …………………આવતી કાલને ઓળખી લેતા.
માનવમનને મળતી માયા,જીવનીરાહ બગાડી જાય
શું કરવુ શું ના કરવુ સમજતાં,આ જીવન સુધરી જાય
પ્રેમની સાચી સાંકળ પકડતાં,મોહમાયા જ છુટી જાય
મળતી રાહને સમજી લેતાં,આ જન્મ સફળ થઈ જાય
. ………………….આવતી કાલને ઓળખી લેતા.
મુક્તિ માર્ગને સમજી લેતાં,જીવથી સાચી ભક્તિ થાય
મળે જલાસાંઇની કૃપા જીવને,રાહ સાચીજ મળી જાય
અવનીપરના આગમનનેપારખી,સાચી ઓળખ થાય
માનવજીવનને પારખી લેતાં,કર્મના બંધન છુટી જાય
. ………………..આવતી કાલને ઓળખી લેતા.
==================================
June 25th 2013

. . કર્મબંધન
તાઃ૨૫/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી મળશે ક્યારે મળશે,ના કોઇથી કદી કહેવાય
ઉજ્વળ જીવનની ન્યારી કેડી,સમજણથી સમજાય
. …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
અવનીપરનુ આગમન બને છે,જીવની સાચી રાહ
પામરજીવન માનવીનુ,કૃપાએ થઈ જાય છે ન્હ્યાલ
કર્મનીકેડી ઉજ્વળબને,જ્યાં જલાસાંઇની પુંજાથાય
જીવનેસંબંધ મળે છે કર્મના,જે જીવની કેડી કહેવાય
. …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સમજાય
જન્મ જીવના સંબંધ ન્યારા,જેને કર્મબંધન કહેવાય
મહેંક પ્રસરે કર્મની કેડીએ,જે સંસ્કારથી જ સચવાય
કરેલકર્મના બંધનએવા,જે મુક્તિ માર્ગેય દોરી જાય
. ………………….ક્યાંથી મળશે ક્યારે મળશે.
+++++++++++++++++++++++++++++++++++
June 9th 2013
. મળેલ શાંન્તિ
તાઃ૯/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કેડી નિરાળી,સાચી માનવતાએ મળી જાય
કળીયુગની કાતર છુટે,ત્યાંજ મનને શાંન્તિ મળી જાય
. ………………..કુદરતની કેડી નિરાળી.
અગમ નિગમના ભેદ અનેરા,ના કોઇથીય છટકાય
કળીયુગની આ માયા અનેરી,સમયે સમયે સમજાય
મળે જ્યાં માયાનોમોહ જીવને,ત્યાંઅહીં તહીં ભટકાય
અંત નાઆવે દેહનો અવનીથી,કુદરતી લીલાકહેવાય
. ………………..કુદરતની કેડી નિરાળી.
જીવને મળે છે શાંન્તિ જગમાં,જ્યાં મનથી ભક્તિ થાય
જલાસાંઇની સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
પ્રેમ નિખાલસ મનથી કરતાં,માનવતાય મહેંકી જાય
મળેલ શાંન્તિ જીવને અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
. …………………કુદરતની કેડી નિરાળી.
=================================
June 3rd 2013
. કાતર
તાઃ૩/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાતર ચાલતા રાહ મળે,ત્યાં જ જીવ છટકી જાય
કેવી કાતર ક્યાંથી ચાલી,એ પરિણામેજ દેખાય
. ………………..કાતર ચાલતા રાહ મળે.
મળે જો માયા મોહ જીવનમાં,વ્યાધીઓ મળી જાય
ઉજ્વળતાની રાહ લેવા,મોહમાયા કાતરથી કપાય
સાચી શ્રધ્ધાએજ છે સીડી,કળીયુગથી બચી જવાય
મળે શાંન્તિ આવી જીવનમાં,એ જલા કૃપા કહેવાય
. …………………કાતર ચાલતા રાહ મળે
સ્નેહની સાંકળ જીવનસંગી સંગે,એ કાતરથી છેદાય
એકજ કેડી દુઃખની મળતા,માનવતાજ ખોવાઇ જાય
આરો ના ઓવારો રહેતા,મૃત્યુ એ આંગળી ચીંધીજાય
અવનીપરથી વિદાય લેતા,જીવ જન્મોજન્મભટકાય
. ………………… કાતર ચાલતા રાહ મળે.
===================================
April 22nd 2013
. .અવધુત
તાઃ૨૨/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવધુતની ઓળખાણ જગતમાં,સાચી ભક્તિએ થઈ જાય.
કળીયુગની કાયામાં ફરતા જીવો,કર્મધર્મથીજ લટકી જાય
. …………………..અવધુતની ઓળખાણ જગતમાં
માયાની જ્યાં પહેરી લંગોટી,મન અહીં તહીં ભટકી જાય
ચટકી ભટકી રખડતાંજ જીવો,અપેક્ષાએ પગે લાગી જાય
દેખાવની દુનીયાના અવધુતો,આશીર્વાદે અથડાઇ જાય
મળે જ્યાં જીવે કળીયુગની કેડી,દુખસાગર છલકાઇ જાય
. …………………..અવધુતની ઓળખાણ જગતમાં.
અવનીપર નાભટકે અવધુત,નાભીખ માગતા ફરી જાય
ઉજ્વળ જીવન દેખાવનો રાખી,અહીંતહીં એ આવી જાય
નાદેહની તાકાત અવનીએ,કે નાસદમાર્ગ કોઇએ દેવાય
ભટકી રહેલ જીવો કળીયુગમાં,મારૂતારૂ ના બંધને બંધાય
. ……………………. અવધુતની ઓળખાણ જગતમાં
======================================
April 4th 2013
. .સરળતાની કેડી
તાઃ૪/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ પ્રેમની કેડી પકડતાં,જીવનમાં શાંન્તિ મળી ગઈ
મોહમાયાની ચાદર છુટતાં,કળીયુગથી મુક્તિ મળીગઈ
. …………………સરળ પ્રેમની કેડી પકડતાં.
માનવતાની મહેંક પ્રસરતા,જીવનમાં પ્રીત મળતી થઈ
સંત જલાસાંઇની ભક્તિ કરતાં,જીવને શાંન્તિ મળી ગઈ
કળીયુગની છે કેડી વાંકી,જીવને એ જકડે અવનીએ રહી
સરળકેડી મળે જીવને જીવનમાં,જ્યાં પ્રભુકૃપા થઈ ગઈ
. …………………….સરળ પ્રેમની કેડી પકડતાં.
ડગલે ડગલુ સમજીને ચાલતાં,સૌ વ્યાધીઓ ભાગતી થઈ
પાવનકર્મની કેડી જીવનમા લેતાં,ના હવા અડકતી અહીં
મનનેશાંન્તિ તનનેશાંન્તિ,એજ સાચીભક્તિ કહેવાય ભઈ
ભુતપ્રેત ભાગે છે ભડકીને,જ્યાં બજરંગબલીની કૃપા થઈ
. …………………..સરળ પ્રેમની કેડી પકડતાં.
=====================================
March 14th 2013
. .માળાની પકડ
તાઃ૧૪/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માળા પકડતા હાથમાં,પ્રભુરામનુ સ્મરણ મનથી થાય
અંતરમાં શાંન્તિ અનુભવતા,જીવને શાંન્તિ મળી જાય
. ………………….માળા પકડતા હાથમાં.
પવિત્રકેડી મળે જીવનમાં,ત્યાં નાઆફત કોઇ અથડાય
સાંઇકૃપાના વાદળ વરસતાં,જીવને શાંન્તિ મળી જાય
મોહ માયાની ચાદર છુટતાં જ,સરળ જીવન થઈ જાય
મુક્તિ માર્ગની રાહ મેળવતા,આ જન્મ સફળ થઈજાય
. ………………….માળા પકડતા હાથમાં.
ભસ્મ મળે જ્યાં સાંઇબાબાની,મળેલ દેહ પવિત્ર થાય
ૐ સાંઇના એકજ સ્મરણે,આ જીવનપાવન થઈ જાય
મુકિતઆવી જ્યાં મળેજીવને,ત્યાં જન્મમૃત્યુ છુટી જાય
સાંઇબાબાના સરળ પ્રેમથી,પાવનકર્મ જીવનમાં થાય
. ……………………માળા પકડતા હાથમાં.
++++++++++++++++++++++++++++++++++++
February 26th 2013
. મનથી માગણી
તાઃ૨૬/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાને સમજી લેતાં,કર્મની કેડી પાવન થાય
મનથી થતી સાચીમાગણીએ,જીવન ઉજ્વળ થાય
. ……………..ના કદી મોહ માયા મળતી જાય.
આગમન વિદાયના બંધન,પ્રભુ કૃપાએ જ મેળવાય
થયેલ કર્મ જીવનમાં સારા,જીવને શાંન્તિઆપી જાય
ભક્તિનો સંગાથ રહેતા,દેહની વ્યાધીઓ ભાગી જાય
એજ અપેક્ષા અંતરમાં રહેતી,જે ભક્તિએ મળી જાય
. ………………….. શીતળતાને સમજી લેતાં.
માનવજીવન છે સત્કર્મની કેડી,સાચી રાહ આપી જાય
જલાસાંઇની થતી ભક્તિએ,જીવને મુક્તિએ દોરી જાય
નિર્મળતાના વાદળ સંગે,જીવનનીજ્યોત પ્રગટી જાય
સુખશાંન્તિનો સંગાથ મળતા,આજન્મ સફળ થઇ જાય
. ………………….શીતળતાને સમજી લેતાં.
=============================
February 11th 2013
. કુદરતની કાતર
તાઃ૧૧/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે કાતર નિરાળી,ના કોઇ જીવથી છટકાય
કર્મ વર્તનની કેડી વાંચતા,કુદરતી ઝાપટ પડી જાય
. …………………..કુદરતની છે કાતર નિરાળી.
મોહમાયાની ચાદર છુટતાં,જીવેનિર્મળ રાહ મળી જાય
જીવને મળેલ કર્મના બંધન,સાચી ભક્તિએ છુટી જાય
મળેલ માયા કાયાને સ્પર્શે,ત્યાં આજીવન વેડફાઇ જાય
અહીં તહીંની સમજ છુટતાં,જીવ જન્મ મરણથી બંધાય
. …………………..કુદરતની છે કાતર નિરાળી.
મળે દેહ અવનીએ જીવને,એ વાણી વર્તનથી જ સંધાય
જીવન ઉજ્વળ કરવા કાજે,સાચી ભક્તિ જીવથી પકડાય
આવી આંગણે કૃપામળેપ્રભુની,લાયકાત જીવની કહેવાય
મુક્તિમાર્ગના દ્વાર ખુલતાં,જીવ કર્મનાબંધનથી છુટી જાય
. …………………..કુદરતની છે કાતર નિરાળી.
=================================
February 10th 2013
. . લીલા કરતારની
તાઃ૧૦/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવતી વ્યાધી લઇ આવે ઉપાધી,જીવન વેડફાઇ જાય
શાંન્તિ શાંન્તિ શોધતા જીવનમાં,મુંઝવણો વધતી જાય
. ……………….આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.
નિર્મળ રાહ ના મળે જીવને,ત્યાં અશાંન્તિ આવી જાય
સુખની શોધતાસીડી જીવનમાં,નામાર્ગ કોઇ મેળવાય
લાગણી પ્રેમને પકડી ચાલતાં જ,દુઃખસાગર છલકાય
નારાહ સાચી મળે જીવને,ત્યાં જીવને અકળામણ થાય
. …………………આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.
નિર્ધનને ધનવાન કરે કળીયુગ,ને રાજા અપંગ થાય
કરતારની છે આ અજબલીલા,એ ભક્તિમાર્ગે દુરજાય
સાચી ભક્તિ મનથી કરતાં,જગે માનવતા મહેંકી જાય
કુદરતની કાતરથી બચે, જ્યાં જલાસાંઇની કૃપા થાય
. ……………….આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.
============================