September 1st 2018
. .કુદરતનો ઝંપ
તાઃ૧/૯/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર અનેક અસર છે કુદરતની,જગતપર જીવોના દેહને એસ્પર્શી જાય
અનેક સંબંધો કુદરતના અવનીપર,જે સમયસંગે પ્રત્યક્ષ અનુભવ આપી જાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય.
સુર્યદેવનુ આગમન દીવસમાં અવનીપર,મળેલ દેહને સવાર સાંજ આપી જાય
સવારથતા દેહોને દીવસમાં પ્રભાત મળીજાય,પવિત્રભાવે સુર્યદેવને નમન થાય
પવનદેવનુ નિર્મળ આગમનથતા જગતપર,નિર્મળદીવસ સંગે શાંંન્તિ આપીજાય
સમયે પવનદેવની ઝાપટ પડતા,અનેક અનુભવો મળેલ દેહને દુઃખી કરી જાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય.
મેઘરાજાનુ આગમન જમીનપર,શાંંન્તિના સહવાસે અનેક વૃક્ષોનુ આગમન થાય
સરળઆગમનને બદલે અધીકવર્ષાએ,અઢળક પાણી અનેક તકલીફો આપીજાય
વાહનને ચલાવવામાં તકલીફ પડે,ને માનવીને છત્રીના સંગેપણ દુખ મળી જાય
કળીયુગનો સ્પર્શ રાજકારણને થાય,ત્યાં ઉંમરને દુર રાખતા ઘરડા પણ ભટકાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય
==============================================================
July 18th 2018
. સરગમનો સંગ
તાઃ૧૮/૭/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહને અવનીપર,થયેલ કર્મનો સંબંધ સ્પર્શ કરી જાય
મળેલ માનવદેહ જીવને,સદમાર્ગના સહવાસથી નિર્મળતા દઈ જાય
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
કાવ્યગીતને વાંચતા સરગમનો સંગમળે,ત્યાં લખેલ શબ્દને પરખાય
સ્વરનો એજ સંબંધ છે અવાજથી,જે સ્વરથીજ કાનમાં પ્રસરી જાય
સંગીતની આ લીલા અવનીપર,એ પ્રવેશતા શબ્દની સમજણ થાય
એજ મળેલ જીવનમાં સુખશાંંન્તિની વર્ષાએ,પાવનકર્મને આપી જાય
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
જીવનમાં સરગમનો સંગ મળતા,સરળ સમયનોસંગ લેતા અનુભવાય
અપેક્ષાનાવાદળ તોવર્ષે અવનીપર,પાવનભક્તિએ સરળતાથી જીવાય
મોહમાયા એતો બંધનછે જગતપર,જે અનેકજીવોને સ્પર્શથી સમજાય
સારેગમનો સંબંધ સરગમથી,એજ સમયેમળેલદેહને અનુભવથી દેખાય
.......એજ અદભુત લીલા પરમાત્માની,જે સરગમના સંબંધથી સમજાઈ જાય.
==========================================================
July 9th 2018
. પરમ શક્તિ
તાઃ૯/૭/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની કૃપા આપનાર,અવનીપર શ્રીશંકર ભગવાનથી ઓળખાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભજવા,જ્યાંૐ નમઃ શિવાયથી સ્મરણ થાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
પરમકૃપાળુ એ દેહ હતો,જેમને અનેક નામો સંગે ભોલેનાથ કહેવાય
પવિત્ર નિર્મળજળ જગતને આપતા,માતા ગંગાનું આગમન કરી જાય
નિર્મળભાવે ગંગા નદીને અર્ચના કરતા,મળેલ દેહને પાવન કરી જાય
ત્રિશુળધારી એ દેહ હતો,જેને માતા પાર્વતીના પતિદેવ પણ કહેવાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,અનેક દેહ શ્રી પ્રભુકૃપાએ લઈ જાય
શ્રધ્ધાવિશ્વાસના સંગે જીવનમાં,નિર્મળ પવિત્ર ભક્તિનો સંગ મળી જાય
અજબશક્તિશાળી હતાઅવનીએ,જે ગણપતિ ને કાર્તિકનાપિતા કહેવાય
ભાગ્યવિધાતા ગણપતિને પુંજતા,માતાપિતાના પ્રેમની કૃપાય મળી જાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
=========================================================
July 9th 2018
. કાયાને અડી
તાઃ૯/૭/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહને સંબંધ છે કર્મનો,જે અવનીપરના આગમને દેખાય
સરળજીવનની રાહને પકડી ચાલતા,કાયાને નામાયા અડી જાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
સમયનો સ્પર્શ થાય છે દેહને,જે મળતી ઉંમરનો સંગ આપી જાય
આજને પારખી ચાલતા ગઈ કાલને ભુલાય,જે શાંન્તિ આપી જાય
આવતી કાલને ઉજવળ કરવા,દેહને આજના વર્તનથી અનુભવાય
એવી લીલા પરમાત્માની જીવપર,જે સમય સંગે કાયાને અડી જાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
લાગણી કે મોહ એઅવનીના બંધન,ના કોઇથી અવનીપર છટકાય
દેહના બંધન એ કર્મને લાવે,જે દેહના વર્તનથી સૌને સમજાઈ જાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જે કુટુંબને પવિત્રકર્મકેડી આપી જાય
મળેલ દેહની પરખ સચવાઇ જાય,જ્યાં નિર્મળ રાહે જીવન જીવાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
=======================================================
June 25th 2018
. .સંસારની સાંકળ
તાઃ૨૫/૬/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,અનેક જન્મોના સંબંધને સ્પર્શી જાય
કુદરતની આ અજબલીલા,જન્મમરણથી આવનજાવન આપી જાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
માનવદેહને સંબંધ માબાપનો જીવનમાં,અવનીપર દેહ મળી જાય
સંતાનને સ્પર્શે સમય જીવનમાં,જે મળતી ઉંમરથી અનુભવ થાય
સંસારની સાંકળએ દેહનાબંધન,એ દેહને આગળપાછળ લઈ જાય
સરળતાનો સંગાથ મળે જીવને,જે મળેલદેહને સરળતા આપી જાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
દેહ એ કર્મના બંધન છે જીવના,જે અનેકદેહથી સમયે દેખાઈ જાય
પશુપક્ષી પ્રાણી એતો નિરાધાર દેહ,અવનીપર જીવ ભટકાતો જાય
નાકોઈ પરિવારનો સંબંધ રહે,કે નાકોઇનો નિખાલસ પ્રેમ મેળવાય
માનવજીવનને સરળતાનો સંગાથ મળે,જ્યાં સંસારી સ્નેહ મળીજાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
=======================================================
June 20th 2018
. .જીંદગીની જ્યોત
તાઃ૨૦/૬/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગને કુદરતની સાંકળથી,જીવને જન્મમરણથી અનુભવ થાય
અવનીપરના બંધન એજ કર્મનીકેડી,જીવને આવનજાવનથી દેખાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
જન્મ મળેલ જીવને અવનીપર,એજ દેહને કર્મનાબંધન આપી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જ્યાં જીવથી શ્રધ્ધાએજ ભક્તિ કરાય
નિર્મળભાવથી કરેલ ભક્તિ,એ સવારસાંજના સંગાથથી અનુભવાય
મળેલ માનવદેહની નિર્મળતા પ્રસરતા,પવિત્રજીવોની કૃપા મેળવાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
જીવનમાં સ્પર્શતી અપેક્ષાની કેડી,એ નિર્મળભક્તિએ દુર રહી જાય
પ્રેમ પ્રભુનો મળે દેહને જીવનમાં,ના અભિલાષા કોઇજ દેહની થાય
સરળતાનો સંગાથ મળે દેહને,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
અવનીપરના આગમન વિદાયનો સંબંધ છુટતા,મુક્તિમાર્ગ મળી જાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
============================================================
May 22nd 2018
. .સમય પકડ જે
તાઃ૨૨/૫/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે અજબલીલા અવનીપર,સમય સમયે એ પસાર થાય
જીવને મળેલ દેહને એસ્પર્શે જીવનમાં,જે નિર્મળપ્રેમે જ સમજાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
જન્મ મળેલ દેહને સર્વ પ્રથમ,માબાપનો અનંતપ્રેમજ મળી જાય
સમય મળે ઉંમરને પકડતા,જે બાળપણથી જુવાનીએ લઈ જાય
ઉજવળ જીવનની કેડી મળે દેહને,જ્યાં ભણતરને પકડીને ચલાય
ભણતર એ બને છે ચણતર દેહનું,જે ઉજવળરાહ મળતા સમજાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,એ થયેલ કર્મના સંબંધથી મળી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની છે,જે દેહને સમજ આપતા જીવાય
સમયને પકડી ચાલતો માનવી,જીવનમાં અનેક વર્તનથી એ દેખાય
નિર્મળ ભાવનનો સંગ રાખતા,મળેલ દેહથી સમયને પકડીને ચલાય
.......સરળ જીવનનો સંગાથ મળે,જ્યાં દેહને સમયના સંગાથે મળી જાય.
==========================================================
February 11th 2018
. .મળે સહવાસ
તાઃ૧૧/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ,જે સરળ જીવનમાં મળતો જાય
પરમ પાવનરાહ મળે દેહને અવનીપર,નિર્મળ સહવાસે મળી જાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
દરેક જીવને કરેલ કર્મનો સંબંધ અવનીએ,જે દેહ મળતા સમજાય
અનેકદેહો મળે જીવોને જે બંધન આપી જાય,ના કોઇથી છટકાય
કુદરત કેરી રાહને સમજવા જીવનમાં,નિર્મળરાહે જ જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુભક્તિ કરાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
મનથી કરેલ જપન પરમાત્માનુ પ્રભાતે,સુર્યદેવની અજબકૃપા મેળવાય
ના કોઇ અપેક્ષા અડે જીવનમાં જીવને,કે ના મોહનો સ્પર્શ પણ થાય
પરમ નિખાલસ પ્રેમનો મળે સહવાસ,જે સંબંધીઓને ઓળખાવી જાય
પવિત્ર કર્મની રાહે જીવન જીવતા,મળેલ દેહને પરમાત્માના દર્શન થાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 1st 2018
.ચંદ્રગ્રહણ
તાઃ૧/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી કુદરતની બેકૃપા છે,અવનીપર અનુભવે દેખાય
સુર્યનારાયણનુ આગમન થતા પ્રભાતે,આખી દુનીયાને જગાડી જાય
.... ..જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
માનવદેહને પ્રેરણા મળે પ્રભાતે,જે સુર્યોદય થતા શરીરને પ્રેરણા થાય
સુર્ય કિરણના આગમને દેહને સવાર દેખાય,જે જીવને કર્મે જોડી જાય
સંધ્યાકાળે સુર્યદેવ અવનીથી દુર જતા,દુનીયાને રાત્રીનો સહવાસ થાય
એઅજબલીલા અવીનાશીની આવનીએ,મળેલ દેહને સંબંધ આપીજાય
.......જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
ઉદય અને અસ્તના સંબંધી છેબે,જે સુર્યદેવ અને ચંદ્રદેવથી ઓળખાય
દુનીયાપર એમની આગમન વિદાય,સવાર સાંજ અને રાત્રી આપી જાય
ચંદ્રદેવનુ આગમન થતા આકાશે,અવનીપર રાત્રીનો સહવાસ શરુ થાય
વિદાયલેતા સવારમાં સુર્યદેવનુ આગમનથતા,દીવસમાં પ્રભાત મળીજાય
.......જગતપર ના કોઇનીય શક્તિ છે,કે જે આ તાકાતને તોડી જાય.
=======================================================
January 31st 2018
. .સન્માનની રાહ
તાઃ૩૧/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહથી સમયને સમજી,પળેપળને પકડી જીવજે ભઈ
નામોહ માયાને પકડતો જીવનમાં,કેના અભિમાન માગતો અહીં
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
સમાજનો સંબંધ એ સમયની કેડી,ઉંમર વધતા મળી જાયછે ભઈ
મળે પ્રેમ મિત્રોનો દેહને જીવનમાં,જે ઉજ્વળરાહ પણ આપીજાય
ના કદી માગણીનો સ્પર્શ રહે જીવનમાં,ના આફત કોઇ મેળવાય
એજ કુદરતની પાવનકૃપા દેહપર,જે મળેલ જન્મ સફળ કરી જાય
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
અનેક પ્રસંગનો સંબંધમળે જીવનમાં,જે અનેકનો સાથ આપી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે સમાજમાં,ત્યાં પાવનરાહજ મળી જાય
પરમાત્માની અજબકૃપા જગતપર,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
શ્રધ્ધારાખી ભક્તિકરતા જીવનમાં.માનવજીવનમાં નાક્રોધ સ્પર્શી જાય
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
==========================================================