July 9th 2018
. પરમ શક્તિ
તાઃ૯/૭/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની કૃપા આપનાર,અવનીપર શ્રીશંકર ભગવાનથી ઓળખાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભજવા,જ્યાંૐ નમઃ શિવાયથી સ્મરણ થાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
પરમકૃપાળુ એ દેહ હતો,જેમને અનેક નામો સંગે ભોલેનાથ કહેવાય
પવિત્ર નિર્મળજળ જગતને આપતા,માતા ગંગાનું આગમન કરી જાય
નિર્મળભાવે ગંગા નદીને અર્ચના કરતા,મળેલ દેહને પાવન કરી જાય
ત્રિશુળધારી એ દેહ હતો,જેને માતા પાર્વતીના પતિદેવ પણ કહેવાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,અનેક દેહ શ્રી પ્રભુકૃપાએ લઈ જાય
શ્રધ્ધાવિશ્વાસના સંગે જીવનમાં,નિર્મળ પવિત્ર ભક્તિનો સંગ મળી જાય
અજબશક્તિશાળી હતાઅવનીએ,જે ગણપતિ ને કાર્તિકનાપિતા કહેવાય
ભાગ્યવિધાતા ગણપતિને પુંજતા,માતાપિતાના પ્રેમની કૃપાય મળી જાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
=========================================================
No comments yet.