August 16th 2017
. .અનુભવનો સંગાથ
તાઃ૧૬/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમાત્માની પરમ કૃપા કહેવાય
આવન જાવન એ સંબંધ છે જીવના,જે કર્મના બંધનથી મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
મળેલ દેહને સમયનીસાંકળ સ્પર્શે,જીવનમાં અનેક અનુભવે મેળવાય
જ્યોત પ્રેમની પ્રગટતા જીવનમાં,પરમાત્માની કૃપા જીવને મળી જાય
મોહમાયાનો સંબંધ ના સ્પર્શે દેહને,એજ પાવનકેડીનો અનુભવ થાય
સંગાથ મળે જીવનમાં સત્કર્મનો,જે જલાસાંઇની ભક્તિરાહે મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
જગતમાં ના આંબે કોઇ ઉંમરને,જે કુદરતની અજબ શક્તિરાહ કહેવાય
પાવનજીવન એ નિર્મળકેડી માનવીની,જે અનુભવનો સંગાથ આપી જાય
ના આફતનો કોઇ અણસાર રહે,કે ના કોઇ જ અપેક્ષા જીવનમાં રખાય
સંસારની જોડી એ તો છે સંબંધ દેહના,જીવને માબાપથી જ મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
=======================================================
August 15th 2017
. .સરળ જીવન
તાઃ૧૫/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકેડી મળે આશિર્વાદથી સંતાનને,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
સંસ્કાર સાચવી જીવનજીવતા અવનીએ,કુટુંબનુ સન્માન પણથઈ જાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
કુદરતની લીલા અવનીપર દેહના વર્તને સમજાય,જે કર્મને સંબંધી જાય
મળેજ્યાં માયા દેહને દેખાવની,ત્યાં કળીયુગની કેડી જીવને જકડી જાય
સંબંધ નાસ્પર્શેદેહને જીવનમાં,જ્યાં વર્તનથી મળેલદેહે જીવ દુઃખી થાય
માનવતાની મહેંક ના પ્રસરે જીવની,કુદરતની ના કોઇ જ કૃપા મેળવાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
રામશ્યામની અદભુતછે લીલા અવનીએ,પરમાત્મા દેહ લઈને આવી જાય
અવનીપર દેહ લઈને જીવોને,પાવનરાહ દેવા રાજારાવણનુ દહન કરીજાય
અજબશક્તિધારી દેહને સદમાર્ગ દેવા,શ્રી કૃષ્ણની અદભુતલીલા થઈ જાય
જીવને મળેલદેહ એ કર્મના બંધન,જે અજબ શક્તિશાળીની કૃપા કહેવાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
============================================================
August 3rd 2017
..
..
. .આવ્યો આંગણે
તાઃ૩/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો આંગણે પ્રેમ સ્નેહીઓનો,જીવનમાં પ્રેમીઓનો નિર્મળપ્રેમ મળી જાય
અજબ કૃપાએ પરમાત્માની શ્રધ્ધાએ,જે સુખસાગરના વાદળને વરસાવી જાય
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
કર્મના બંધન એજ જીવને સ્પર્શે,જગતમાં ના કોઇજ જીવથી દુર રહી જવાય
જન્મ મરણનો સંબંધ તો છે અવનીએ,એજ જીવને આવનજાવન આપી જાય
મોહમાયા એ કળીયુગનીકેડી,જેનો જીવને કુદરતની કૃપાએ અનુભવ પણ થાય
મનથી કરેલ નિર્મળ શ્રધ્ધાભક્તિજ,મળેલા માનવ જીવનને સન્માન આપી જાય
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
શ્રધ્ધા રાખીને આંગણુ સાફ કરતા,મળેલ ઘરમાં પરમાત્માની કૃપા આવી જાય
નિર્મળજીવનની રાહ મળે માનવીને,જે જીવનમાં અનંતશાંંતિ પણ આપી જાય
એજ કૃપા છે કુદરતની માનવદેહ પર,ના કદીય કોઇ અપેક્ષા જીવનમાં રખાય
આંગણે આવી મળેલ સ્નેહાળ રાહ,એજ પાવનકર્મની કેડી જીવનમાં મળીજાય
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
=============================================================
July 31st 2017
...
...
. .જીવનનો સંગાથ
તાઃ૩૧/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ પકડીને જીવતા દેહ પર,પરમાત્માની પરમકૃપા થઈ જાય
જીવને મળેછે માનવદેહ અવનીએ,જે કર્મનાબંધનથી મેળવાઇ જાય
......એ જગતપરના દેહને સ્પર્શે,જે શ્રધ્ધાભાવે નિખાલસ જીવનથી સમજાય.
કર્મનીકેડી એ અવનીપરના બંધન,મળેલ જીવનનો સંગાથ થઈ જાય
કુદરતની આ અજબલીલા છે જગત પર,જે પાવનજીવનથી સમજાય
જીવને મળેલ અનેકદેહ અવનીપર,કર્મનાસંબંધથી જીવને સ્પર્શી જાય
માનવદેહ પર જ્યાં કૃપા થાય પ્રભુની,ત્યાં સમજીને વંદન પ્રભુને થાય
......એ જગતપરના દેહને સ્પર્શે,જે શ્રધ્ધાભાવે નિખાલસ જીવનથી સમજાય.
સંગાથ મળેછે માનવદેહને જીવનમાં,જ્યાં નિર્મળજીવન પ્રેમથી જીવાય
પાવનરાહ ને પારખી લેતા જીવોને,મળેલદેહના અનેક સંબંધ પણથાય
ના કોઇ મોહ સ્પર્શે જીવનમાં,જે દેહને પવિત્રરાહે પ્રભુકૃપા દોરી જાય
દેહને સ્પર્શે કરેલકર્મ જીવનમાં,જે જીવના આવન જાવન કરાવી જાય
......એ જગતપરના દેહને સ્પર્શે,જે શ્રધ્ધાભાવે નિખાલસ જીવનથી સમજાય.
===========================================================
July 30th 2017
. .ધરતીનો ધબકાર
તાઃ૩૦/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જીવનની રાહ મળે જીવને,એજ ધરતીની પવિત્ર કૃપા કહેવાય
જન્મમરણના બંધન એછે જીવની કેડી,પરમાત્માની કૃપાએજ સમજાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
અવની એતો અજબ શક્તિ છે પરમાત્માની,પવિત્ર જીવોનેજ સમજાય
જીવને મળેલ દેહ અવનીપર,એ પુર્વજન્મના બંધનથી જ મળતો જાય
ધરતીનો ધબકાર સ્પર્શે દેહને,જ્યાં અભિમાનથીજ આફત મળતી જાય
પરમાત્માની કૃપા નિર્મળ ભક્તિએ મળે દેહને,જે શ્રધ્ધાએ જ મેળવાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
મળેલ દેહથી કરેલકર્મ એજ છે જીવના બંધન,નાકોઇ જીવથી છટકાય
કળીયુગ સતયુગ એપરમાત્માની લીલા,સમય સમયથી સમજીને જીવાય
આગમન વિદાય એકેડી છે જીવની,જગતમાં ના કોઇથીય દુર રહેવાય
નર્કસ્વર્ગ એછે કળીયુગની કેડી,જે ધરતી પર થયેલ આગમને સહેવાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
========================================================
July 26th 2017
..
..
.
.પવિત્રભુમી
તાઃ૨૬/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરની ઓળખ થાય જીવને,જ્યારે અવનીપર દેહ મેળવાય
પાવનભુમી પર દેહ મળે જીવને,એ જીવની શ્રધ્ધા જ્યોત કહેવાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
પવિત્ર ભુમી જગતમાં ભારત છે,જીવને દેહ મળતા અનુભવ થાય
પરમાત્માએ દેહ ધારણ કર્યો,જે અયોધ્યામાં શ્રીરામથી ઓળખાય
પવિત્ર સ્વરૂપ લીધુ માતાએ,એ સીતાજી શ્રીરામના પત્ની કહેવાય
ભારતમાં દેહ ધારણ કરીનેજ,પરમાત્મા એ ભુમી પવિત્ર કરી જાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
દ્વારકામાં જન્મ લીધો પ્રભુએ,જગતમાં એ દ્વારકાધીશથી ઓળખાય
અનેક ગોપીઓનો પ્રેમ મળ્યો તેમને,જે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય
ખોડીયાર માતા ગુજરાતમાં જન્મ્યા,જ્યાંએ જાનબાઈથીય ઓળખાય
પવિત્રભુમી ભારતછે જ્યાંજીવને કૃપામળતા,મુક્તિમાર્ગ પણ મળીજાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
અજબ શક્તિશાળી એ ભક્ત કહેવાય,જે શ્રી રામને મદદ કરી જાય
માતા સીતાનુ હરણ કરનાર,શક્તિશાળી રાવણનુએ દહન કરી જાય
પરમાત્મા શ્રીરામના આશિર્વાદ મળે,એ ગદાધારી હનુમાન થઈ જાય
એવો પરમકૃપા દેશ છે અવનીપર,જેનેજ પવિત્રભુમી ભારત કહેવાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
======================================================
July 19th 2017
.....
.....
. .ના અપેક્ષા
તાઃ૧૯/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનો સંબંધ એ દેહને સ્પર્શે,જે જીવને મળેલ દેહથી સમજાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,ના કદી કોઇ અપેક્ષા રખાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
મળે જીવને સંતાનનો દેહ અવનીએ,જ્યાં માબાપને સંબંધ થાય
ઉજવળ જીવનની રાહમળે,જે વડીલના આશિર્વાદથી મળી જાય
પવિત્રરાહને પારખીને ચાલતા,ના કદીય કોઇ આફત અડી જાય
અનંતકૃપા અવિનાશીની મળે,જે જીવનને પાવન રાહે દોરી જાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,એ પવિત્રશ્રધ્ધા ભક્તિએ મેળવાય
આશિર્વાદની પવિત્રરાહે જીવને,પવિત્ર કર્મનોસંબંધ પણ થઈ જાય
નિર્મળભક્તિએ જીવન જીવતા,આંગણુ જલાસાંઇ પાવન કરી જાય
અજબ કૃપા છે પરમાત્માની અવનીએ,જીવને અનુભવથી સમજાય
......નિર્મળરાહ એ પાવન કેડી જીવનની.જ્યાં પરમકૃપા મળી જાય.
====================================================
July 18th 2017
...
...
. .લાકડીનો સંગ
તાઃ૧૮/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે જીવને જ્યાં માનવીનો,જીવનમાં સમજણના સંગે જીવાય
ક્યારે જરૂર પડશે દેહને અવનીપર,એ સમયનાસંગે સમજણ થાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
ઉંમર અડેછે દેહને જે સમય આવતા સમજાય,એ પ્રભુકૃપા કહેવાય
મળેલ દેહને કર્મ સ્પર્શે જીવનમાં,જેને પકડીને માનવ દેહથી ચલાય
પકડી લાકડી હાથમાં માનવીએ,જ્યાં પગનીતકલીફે દેહને મળીજાય
નિરાધારનો એજ આધાર બની જાય,જેને પરમાત્માની કૃપા કહેવાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
જીવ ભટકે જ્યાં અવનીપર,એને ના કોઇ વ્યક્તિથી કદીય જોવાય
પડે દેહ પર જ્યાં એ જીવની દ્રષ્ટિ,દેહને અનેકરીતે એ સ્પર્શી જાય
હાથમાં લીધેલ લાકડી મદદ કરે દેહને,ના રખડતા જીવથી છટકાય
લાકડીનોસંબંધ ફક્ત દેહથી અવનીએ,એકબીજાના દેહને સ્પર્શીજાય
.....મળે જીવનમાં સાથ સંબંધીઓનો,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય.
=========================================================
July 15th 2017
. .કૃપાળુ મેઘરાજા
તાઃ૧૫/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ શક્તિશાળી દેવ છે જગતમાં,જે પરમ કૃપાળુ મેઘરાજા કહેવાય
અવનીપરની પરના આગમનથી,દુનીયા પર અનંતશાંંન્તિની વર્ષા થાય
......એવા પરમકૃપાળુ મેઘરાજાને,હ્યુસ્ટનથી પ્રદીપના શ્રધ્ધાએ વંદન થાય.
પવનદેવનો સંગ પણ મળે દેવને,જે સૃષ્ટિ પરના આગમને અનુભવાય
નિર્મળ ભક્તોને કૃપા આપવાજ અવનીપર,પ્રત્યક્ષ આગમન કરી જાય
સરળ જીવનનીરાહ સંગે દેહનેસ્પર્શે,જે મળેલદેહને શાંંન્તિ આપી જાય
અદભુતલીલાની કૃપાથાય અવનીએ,જે દુનીયાપરના જીવોને સ્પર્શીજાય
......એવા પરમકૃપાળુ મેઘરાજાને,હ્યુસ્ટનથી પ્રદીપના શ્રધ્ધાએ વંદન થાય.
મેઘરાજાનુ આગમન લીલોતરી આપે,જે વૃક્ષોની વધામણી જ કરી જાય
શક્તિનો સંગ મળે પવનદેવનો,જેપુત્ર હનુમાનની અજબતાકાતથી દેખાય
અવનીપરના જીવોને પ્રત્યક્ષ દર્શન કરાવી,અનંતકૃપા મેઘરાજા કરી જાય
એજ પવિત્રદેવ જગતપર દ્રષ્ટિકરે,જ્યાં જગતના જીવોને શાંન્તિ મળીજાય
......એવા પરમકૃપાળુ મેઘરાજાને,હ્યુસ્ટનથી પ્રદીપના શ્રધ્ધાએ વંદન થાય.
=======================================================
July 14th 2017
. .પાવન પ્રીત
તાઃ૧૪/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમની કેડી જીવનમાં મળતા,પવિત્રરાહ પ્રભુ કૃપાએ મેળવાય
ના રહે કોઇ અપેક્ષા જીવનમાં,કે ના કદી મોહમાયાય સ્પર્શી જાય
......એજ પવિત્ર રાહ જીવનમાં મળે દેહને,જે થકી મુક્તિ માર્ગ મેળવાય.
નિર્મળજીવન એ સ્પર્શે દેહને,એજ જગતમાં પાવન પ્રીત આપી જાય
મનને મળેલ શાંન્તિએ જીવનમાં,જે સંત જલાસાંઇની કૃપા જ કહેવાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે પાવન રાહે આંગળી ચીંધી જાય
અંતરના અજવાળાને નાકોઇ રોકી શક્યુ,એજ નિર્મળ જીવન કહેવાય
......એજ પવિત્ર રાહ જીવનમાં મળે દેહને,જે થકી મુક્તિ માર્ગ મેળવાય.
રધુપતિ રાઘવરાજારામ પતિ તપાવન સીતારામ,નિર્મળતાએ સ્મરણ થાય
દેહને મળેલ શાંન્તિ જીવનમાં,અજબ શક્તિ શાળીની કૃપા થઈ કહેવાય
નાકોઇ આફતઅડે દેહને જીવનમાં કેનાકોઇ માગણીની અભિલાષા રખાય
મળેલ દેહને ના સ્પર્શે કોઇ કેડી,એતો પ્રભુની પાવન કૃપા મળી કહેવાય
.....એજ પવિત્ર રાહ જીવનમાં મળે દેહને,જે થકી મુક્તિ માર્ગ મેળવાય.
=======================================================