August 15th 2017
. .સરળ જીવન
તાઃ૧૫/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકેડી મળે આશિર્વાદથી સંતાનને,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
સંસ્કાર સાચવી જીવનજીવતા અવનીએ,કુટુંબનુ સન્માન પણથઈ જાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
કુદરતની લીલા અવનીપર દેહના વર્તને સમજાય,જે કર્મને સંબંધી જાય
મળેજ્યાં માયા દેહને દેખાવની,ત્યાં કળીયુગની કેડી જીવને જકડી જાય
સંબંધ નાસ્પર્શેદેહને જીવનમાં,જ્યાં વર્તનથી મળેલદેહે જીવ દુઃખી થાય
માનવતાની મહેંક ના પ્રસરે જીવની,કુદરતની ના કોઇ જ કૃપા મેળવાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
રામશ્યામની અદભુતછે લીલા અવનીએ,પરમાત્મા દેહ લઈને આવી જાય
અવનીપર દેહ લઈને જીવોને,પાવનરાહ દેવા રાજારાવણનુ દહન કરીજાય
અજબશક્તિધારી દેહને સદમાર્ગ દેવા,શ્રી કૃષ્ણની અદભુતલીલા થઈ જાય
જીવને મળેલદેહ એ કર્મના બંધન,જે અજબ શક્તિશાળીની કૃપા કહેવાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
============================================================
No comments yet.