માબાપની સેવા
……
. .માબાપની સેવા
તાઃ૧૭/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ કુદરતની અજબલીલા અવનીપર,અનેક અનુભવથી સમજાઇ જાય પાવનકેડી એ આપે શાંન્તિ જીવનમાં,ના અપેક્ષા કોઇ અડી જાય .....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય. કર્મનીકેડી એ તો સંબંધ છે દેહના અવનીએ,જે દેહ મળતા દેખાય કરેલ કર્મનો સંબંધ એસ્પર્શે જીવને,જે જીવને મળેલ દેહથી સમજાય અવનીપરનુ આગમન એ કૃપા માબાપની,અવનીપર દેહ આપી જાય ઉંમરને ના આંબે કોઇ જગતપર,મળેલ દેહના વર્તનથી સમજાઈ જાય .....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય. જીવને જકડે છે કર્મના સંબંધ,એજ મળેલ દેહના વર્તનને અડી જાય પ્રેમ જગતમાં મળે છે દેહને જીવનમાં,જે નિર્મળ જીવનને સ્પર્શી જાય પ્રેમની નિર્મળરાહે જીવતા પતિપત્નીને,સમયની કેડીએ પ્રેમ મળી જાય માબાપની લાયકાત મળે જીવનમાં,જે સંતાનના આગમનથી જ દેખાય .....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય. ======================================================