August 1st 2017

પ્રેમનીગંગા

.Image result for પ્રેમ ગંગા.
.            .પ્રેમનીગંગા

તાઃ૧/૮/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહ એજ જીવને છે સ્પર્શે,જગતમાં કરેલ કર્મથી એ મળી જાય
પાવન રાહની પવિત્ર કેડી,પિતા ભોલેનાથની પ્રેમની ગંગાએ મેળવાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
પરમાત્માની કૃપા મળે દેહને,જ્યાં નિખાલસ ભાવના સંગે પુંજન થાય
કરેલ ભક્તિ પુજ્ય શ્રી ભોલેનાથની,સંગે માતા પાર્વતીનો પ્રેમ મેળવાય
ગજાનંદ શ્રીગણપતિએ સંતાન તેમના,જગતને કલમથી પાવન કરીજાય
અદભુત કૃપાળુ ભોલેનાથ છે અવનીપર,જે પવિત્ર ગંગાને વહાવી જાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
આગમન વિદાય એ સંબંધ જીવનો,જે મળેલ દેહથી જ સમજાઇ જાય
જીવનેમળે જ્યાં દેહપશુપક્ષીનો,નાકોઇ સમજણ જ્યાં નિરાધાર રહેવાય
કુદરતની જ્યાં પરમકૃપા મળે જીવને,ત્યાંજ માનવ દેહ મળતા સમજાય
ભક્તિભાવ શ્રધ્ધાએ રાખી પુંજન કરતા,શિવલીંગ પર દુધ અર્ચના થાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
===========================================================

	
August 1st 2017

કર્મ અને ધર્મ

.         .કર્મ અને ધર્મ   

તાઃ૧/૮/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને લાવે કરેલ કર્મ અવનીપર,જે દેહ મળતા જીવને સમજાય
પાવનરાહની પવિત્રકેડી મળે દેહને,જે પવિત્ર ધર્મથી પકડાઇજાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
આગમન અને વિદાય જીવનો,એ કરેલકર્મના બંધનથી મળી જાય
કુદરતની પાવનરાહ મળે અવનીપર,જે દેહના કરેલ કર્મથી લેવાય
અભિમાન કે માનને દુરરાખીને જીવતા,જીવનમાં સરળતા મેળવાય
એજ કર્મબંધન છે જીવના,જે અવનીપર અનેકદેહ મળે સ્પર્શીજાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
પવિત્રકુળના સંતાન ગણપતિ,જેના માતા પાર્વતી ને પિતા ભોલેનાથ
અજબ શક્તિશાળી છે ભોલેનાથ,જે પવિત્રધર્મને સમજીનેજ જીવાય
હિંદુધર્મ એ પવિત્રધર્મની જ્યોત છે,જે અનેકજીવોને રાહ આપી જાય
કરેલ કર્મ એજ ધર્મથી સ્પર્શે દેહને,એ જીવનેપાવન પ્રેમ આપી જાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
=========================================================