August 31st 2017

પરમકૃપાળુ દેવ

.             .પરમકૃપાળુ દેવ     

તાઃ૩૧/૮/૨૦૧૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા,જીવને પરમાત્માની પરમકૃપા મળી જાય
પાવનરાહની પવિત્રકેડીને પામવા,પ્રત્યક્ષ સુર્યનારાયણ દેવના દર્શન થાય
......એજ અજબ શક્તિશાળી દેવ છે અવનીએ,ના મંદીરમાં તેમના દર્શન કરાય.
કુદરત એતો છે પરમાત્માની દ્રષ્ટિ,માનવીને નિખાલસ ભક્તિએ સમજાય
મળેલ માનવદેહ જીવને અવનીએ લાવે,જે કર્મના બંધનથી જ મેળવાય
સરળ જીવનનીરાહ એ કર્મથી સ્પર્શે,એ પળેપળને પાવનપણ કરી જાય
ઉજવળ જીવન એકૃપા સુર્યદેવની,જે અવનીપર ઉદયઅસ્તથી મળી જાય
......એજ અજબ શક્તિશાળી દેવ છે અવનીએ,ના મંદીરમાં તેમના દર્શન કરાય.
કર્મ એસંબંધ છે જીવના મળેલદેહથી દેખાય,નાકોઇ જીવથી દુર રહેવાય
આગમન વિદાય એતો જીવને સ્પર્શે,જે પરમાત્માની કૃપાએ જ સમજાય
સંત જલાસાંઇએ ચીધેલ રાહે ચાલતા,ભોજન આપી માનવી થઈ જીવાય
એજ પાવનરાહ જીવની કહેવાય,જે મળેલ દેહને પાવનકર્મજ આપી જાય 
......એજ અજબ શક્તિશાળી દેવ છે અવનીએ,ના મંદીરમાં તેમના દર્શન કરાય.
=============================================================