August 16th 2017

અનુભવનો સંગાથ

    Image result for અનુભવનો સંગાથ
.           .અનુભવનો સંગાથ
તાઃ૧૬/૮/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમાત્માની પરમ કૃપા કહેવાય
આવન જાવન એ સંબંધ છે જીવના,જે કર્મના બંધનથી મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
મળેલ દેહને સમયનીસાંકળ સ્પર્શે,જીવનમાં અનેક અનુભવે મેળવાય
જ્યોત પ્રેમની પ્રગટતા જીવનમાં,પરમાત્માની કૃપા જીવને મળી જાય
મોહમાયાનો સંબંધ ના સ્પર્શે દેહને,એજ પાવનકેડીનો અનુભવ થાય
સંગાથ મળે જીવનમાં સત્કર્મનો,જે જલાસાંઇની ભક્તિરાહે મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
જગતમાં ના આંબે કોઇ ઉંમરને,જે કુદરતની અજબ શક્તિરાહ કહેવાય
પાવનજીવન એ નિર્મળકેડી માનવીની,જે અનુભવનો સંગાથ આપી જાય
ના આફતનો કોઇ અણસાર રહે,કે ના કોઇ જ અપેક્ષા જીવનમાં રખાય
સંસારની જોડી એ તો છે સંબંધ દેહના,જીવને માબાપથી જ મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
=======================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment