August 5th 2012

આનંદ થયો

.                    .આનંદ થયો

તાઃ૫/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝરઝરમર વર્ષા નિરખતાં,હૈયુ મારુ હરખાણું
શીતળતાનો સંગ મળતાં,આનંદ સાચો માણું
.              ………………ઝરઝરમર વર્ષા નિરખતાં.
નિર્મળતાના વાદળ વર્ષે,ત્યાં પ્રભુકૃપા હુ પામું
સ્વાર્થમોહને દુરકરતાં,મારુ જીવનસાર્થક જાણું
મળે જ્યાં પ્રેમ જલાસાંઇનો,બીજુ કાંઇના માગું
સ્નેહનીવર્ષા મળી જતાંજ,હુ આનંદ જીવે માણું
.            ………………..ઝરઝરમર વર્ષા નિરખતાં.
માનવજીવન મહેંકી ઉઠતાં,જન્મસફળ હું માનું
પ્રેમની કેડી પારખી લેતાં,સહવાસ સાચો જાણું
મનનીમુંઝવણ દુર જતાં,સ્નેહ સૌનોલઈ આવું
અંતની નારહે ચિંતાજીવને,જ્યાંમોક્ષ સંગેરાખુ
.          …………………ઝરઝરમર વર્ષા નિરખતાં.

============================

July 25th 2012

કદર પ્રેમની

.                    .કદર પ્રેમની

તાઃ૨૫/૭/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને આવી મળે શાંન્તિ,જ્યાં નિર્મળ જીવન હોય
પ્રેમનીગંગા વહે જીવનમાં,જ્યાં પ્રેમની કદર હોય
.            …………………મનને આવી મળે શાંન્તિ.
માનવતાની મહેંક અનોખી,જે સંસ્કારથી મળી હોય
પ્રેમની પાવન કેડીના સંગે,આ જીવન ઉજ્વળ હોય
સુખ સાગરની  કૃપા અનોખી,લાયકાતે મળતી હોય
માગણીમોહને માળીએમુકતા,સાચોપ્રેમ મળતોહોય
.              …………………મનને આવી મળે શાંન્તિ.
સરળ જીવનની કેડી ન્યારી,સરળ સ્નેહ ભરેલી હોય
નિખાલસતાનો સંગ  મળે,જ્યાં માબાપની કૃપા હોય
ભક્તિ ભાવની સરળ રાહે,જીવને શાંન્તિ મળતી હોય
કદરપ્રેમની મનથી કરતાં,સાચી રાહ જ મળતી હોય
.             …………………  મનને આવી મળે શાંન્તિ.

======================================

July 22nd 2012

સમી સાંજે

.                    સમી સાંજે

તાઃ૨૨/૭/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહ મળે જ્યાં સમી સાંજે,ત્યાં સૌને આનંદ થાય
નિખાલસ પ્રેમની ગંગા વહેતા,મન મારું હરખાય
.                     ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
શિયાળાની સમી સાંજે,દેહે  શીતળતા મળી જાય
સુખની લહેર જીવનમાં મળતાં,હૈયે આનંદ થાય
કુદરતની છે અસીમકૃપા,માનવમનને દોરી જાય
શાંન્તિનોસહવાસમળતાં,જીવ રાજીરાજી થઈજાય
.                     ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
ઉનાળાની સમી સાંજે,જગતના સૌ જીવો અકળાય
આકુળ વ્યાકુળ મન ભટકતાં,મુંઝવણો આવી જાય
દેહનીવ્યાધી જીવનમાં મળતાં,ના રસ્તાઓ દેખાય
અહીં તહીં ભટકી રહેતા દીવસમાં,રાત્રીજ પડી જાય
.                    …………………સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
મેઘરાજાની  મોસમ આવે,ત્યાં ના કોઇથીય છટકાય
વાદળ ગાજેને વિજળીજોતાં,દેહો આશરે આવી જાય
પરમકૃપાપરમાત્માની,શીતળ સમી સાંજ મળી જાય
અજબલીલા અવિનાશીની,જે જગે માનવીને દેખાય
.                     ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.

======================================

 

July 16th 2012

ઉગમણી ઉષા

.                 .ઉગમણી ઉષા

તાઃ૧૬/૭/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉગમણી ઉષા ઓળખાય,જ્યાં સુર્યનો ઉદય થાય
આથમણીસુર્યાસ્ત કહેવાય,જ્યાંથીરાત્રીને સહેવાય
.                        ………………..ઉગમણી ઉષા ઓળખાય.
ઉજળી સવાર મળે માનવીને,જ્યાં સુર્ય દર્શન થાય
તનમનધનની કૃપા મળે જીવે,જ્યાં સુર્યદેવ પુંજાય
સંસ્કાર પ્રેમની જ્યોતમળે,ને ધન્ય જીવન પણથાય
કુદરતની આઅજબલીલા,મળેજન્મસફળ થઇ જાય
.                      ………………….ઉગમણી ઉષા ઓળખાય.
જન્મમરણ છે દેહનોસંબંધ,જે જગતજીવથીસહેવાય
અવનીપરના આગમને,જીવથી પ્રભુભક્તિ મેળવાય
અંતરથી જ્યાંથાય પુંજા,ત્યાં સરળકામ સૌ થઈજાય
મૃત્યુ મળતાં દેહથી જીવને,મુક્તિ માર્ગજ મળી જાય
.                       …………………ઉગમણી ઉષા ઓળખાય.

===================================

July 9th 2012

ગગનભેદ

.

.

.

.

.

.

.

.

.

.

.

.                           ગગનભેદ

તાઃ૯/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગગનભેદના જાણે કોઇ,જેસુર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાથી ઓળખાય
જીવને મળતા દેહ જગત પર,એને અવનીપર પણ કહેવાય
.                                      ………………….ગગનભેદના જાણે કોઇ.
કુદરતની આ અદભુતલીલા,જગતમાં ના કોઇને સમજાય
પ્રેમ પામીને જીવન જીવતાં,આ માનવ જીવન મહેંકી જાય
દ્રષ્ટિનીકેડી છે માનવીની નાની,જે આજુબાજુથી ઓળખાય
ચંદ્ર,સુર્યનેનિરખીલેવા પૃથ્વીથી,અવકાશયાત્રી પણથવાય
.                                   ……………………ગગનભેદના જાણે કોઇ.
સ્પેશશટલને પકડી લેતાં,દેહ પૃથ્વીને છોડી ગગનમાં જાય
શીતળતાનોસહવાસ મળીજાય,જ્યાં ચંદ્રપર પગલા પડાય
અદભુતકૃપા વિજ્ઞાનની જગતમાં,જે લાયકાતે જ મળીજાય
સુર્ય,ચંદ્રને નિરખી લેતાં,જગત પરના માનવજીવો હરખાય
.                                    ……………………ગગનભેદના જાણે કોઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++
.               .નાસાના વૈજ્ઞાનિક ડૉકટર શ્રી કમલેશભાઇ લુલાને તેમણે આપેલ
ચિત્રની ઓળખાણ રૂપે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ

July 8th 2012

પ્રેમ અંતરનો

.                   .પ્રેમ અંતરનો

તાઃ૮/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પાથરી અંતરનો,હું જીવનમાં નિર્મળ સ્નેહ કરું
જીવન ઉજ્વળ જ્યોત બને,એજ સ્મરણ ચરણે ધરુ
.                             ………………પ્રેમ પાથરી અંતરનો.
સુખ સાગરને માણી લેતાં,જીંદગી પાવન હું પામું
સ્નેહ ભરેલા સપનાઓ મળતા,પ્રેમપ્રભુનો હું માણું
સિધ્ધીના સોપાન મળતાં,માનવ થઈને જ હું જીવું
મોહ માયાની ચાદર હટતાં,જલાસાંઇની કૃપા પામુ.
.                            ……………….પ્રેમ પાથરી અંતરનો.
મળી જીવનમાં પ્રીત સૌની,ના અપેક્ષાય કોઇ રહી
કુદરતની એ કેડી ભક્તિની,મેળવી સિધ્ધીમે જાણી
સાચી શ્રધ્ધા મનથી મેળવતાં,ત્રાસ જીવના ભાગે
આવી મળે પ્રેમઅંતરનો,નાઅપેક્ષા કોઇમને લાગે
.                          ………………. પ્રેમ પાથરી અંતરનો.

======================================

July 4th 2012

જ્યોત પ્રેમની

.                   .જ્યોત પ્રેમની

તાઃ૪/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની અભિ વ્યક્તિ કહેવાની,કોઇમાં નથી એ શક્તિ
પ્રેમમાં પણ એજ છે નક્કી,જ્યાં થતી સાચી પ્રેમી ભક્તિ
.                   ………………..અંતરની અભિ વ્યક્તિ કહેવાની.
તારુ મારુ તો સૌને સ્પર્શે,ના અવનીએ કોઇથી છટકાય
મળેલ દેહની એ છે લીલા,જે પરમાત્માથી જ મેળવાય
જ્યોતપ્રેમની પ્રગટેજીવનમાં,ત્યાંમાનવતા મહેંકીજાય
સરળતાથી સ્નેહમળે જ્યાં,ત્યાં આવતી આફતદુરજાય.
.                   ………………..અંતરની અભિ વ્યક્તિ કહેવાની.
કર્મનાબંધન તો જીવને સ્પર્શે,એ જ ઉજ્વળતા કહેવાય
ભક્તિ કેરી એકજ દોર મળતાં દેહે,સુખશાંન્તિ મળીજાય
જલાસાંઇની કૃપાએ મળેલ જીવના,મોક્ષ દ્વાર ખુલીજાય
આવી આંગણે પ્રભુ રહે,જે અપેક્ષા અનેક જીવોનીય હોય
.                 ………………… અંતરની અભિ વ્યક્તિ કહેવાની.

…………………………………………………………………………………..

June 29th 2012

બગડી ગઈ

.                       .બગડી ગઈ

તાઃ૨૯/૬/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

હવા લાગી જ્યાં કળીયુગની,ના મારું મન વિચારે કંઈ
સરળતાનોસાથી શોધવાફરતાં,મારીબુધ્ધિ બગડી ગઈ
.                      ……………હવા લાગી જ્યાં કળીયુગની.
દેખાવની દુનીયા અજબ લાગે,ના સમજમાં કંઇ આવે
શોધતા શોધતા જીંદગી વીતે,તોય ના જીવનમાં ફાવે
માયા મોટી કળીયુગની આવે,ના સમજમાં કંઇજ આવે
સમજણનીસાંકળ જ્યાં છુટે,ત્યાંજ તકલીફોદોડતી આવે
.                      …………… હવા લાગી જ્યાં કળીયુગની.
પડે લાકડી બરડે જ્યારે,ત્યારે જ સમજણ આવતી ગઈ
આધી વ્યાધીની સાંકળ મળતાંજ,તકલીફો દેખાતી થઈ
આવીબારણેકળીયુગઉભો જ્યાં,જીવનીજ્યોતબુઝાઇગઈ
દેહનો અંત ના નજીક આવે,જીવનમાં ઝંઝટ વધતી ગઈ
.                   ………………..હવા લાગી જ્યાં કળીયુગની.

+++++++++++++++++++++++++++++++++++++++++

June 26th 2012

અજબલીલા

.                   .અજબલીલા

તાઃ૨૬/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા અવિનાશીની,સમગ્ર સૃષ્ટિ પર વર્તાય
શરણુ લેતા જલાસાંઇનું,દેહને ઉજ્વળ ભાવી દેખાય
.                ……………….અજબલીલા અવિનાશીની.
શીતળતાનો સહવાસ મળે,જ્યાં મન નિખાલસ હોય
કરુણા સાગર છે અતિ દયાળુ,જીવને વર્તને સમજાય
નિર્મળતાની કેડી ન્યારી,સાચો પ્રેમભાવ આપી જાય
ઉજળી આવતીકાલ જોવા,જીવને ભક્તિએ લઈજાય
.               …………………અજબલીલા અવિનાશીની.
લેખ લખેલા ના મિથ્યા બને,જીવ કળીયુગે લબદાય
આંટી ઘુટીમાં બંધાઇ રહેતા,વ્યર્થ આજીવન થઈજાય
કેડીપકડી ભક્તિનીચાલતાં,સૌ વ્યાધીઓ ભડકી જાય
મળે શાંન્તિ આવી જીવને,જે દેહને સદમાર્ગે લઈ જાય
.                …………………અજબલીલા અવિનાશીની.

*******************************************************

June 23rd 2012

અશાંન્તિની કેડી

.                  .અશાંન્તિની કેડી

તાઃ૨૩/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અતિની જ્યારે વર્ષા થાય,ત્યારે ના કોઇથી છટકાય
આવી મળે હદ બહાર કંઇ,ત્યાં અકળામણમળીજાય
.               …………………અતિની જ્યારે વર્ષા થાય.
શીતળતાનો સહવાસરહે,ને નિર્મળ શાંન્તિ પણથાય
પ્રેમને પારખી અનેક જીવો,અતિ આનંદે છે હરખાય
મળતીપ્રીત માનવતાનીજગે,જીવસદા આનંદેન્હાય
આવે ના કોઇ વ્યાધી જીવે,એજ સાચીશાંન્તિ કહેવાય
.                ………………….અતિની જ્યારે વર્ષા થાય.
આચર કુચર ખાઇ લેતાં,ના પેટને તકલીફથી છટકાય
દેખાવનીઆકેડી વાંચી,જે લબડતાંજીદગીબગડી જાય
અતિપ્રેમમાં વ્યાધીઆવે,ને મોહમાયામાં ફસાઇજવાય
ના છટકે કોઇ માનવી, જેને અશાંન્તિની કેડી મળી જાય
.              …………………….અતિની જ્યારે વર્ષા થાય.

+++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »