ઉગમણી ઉષા
. .ઉગમણી ઉષા
તાઃ૧૬/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉગમણી ઉષા ઓળખાય,જ્યાં સુર્યનો ઉદય થાય
આથમણીસુર્યાસ્ત કહેવાય,જ્યાંથીરાત્રીને સહેવાય
. ………………..ઉગમણી ઉષા ઓળખાય.
ઉજળી સવાર મળે માનવીને,જ્યાં સુર્ય દર્શન થાય
તનમનધનની કૃપા મળે જીવે,જ્યાં સુર્યદેવ પુંજાય
સંસ્કાર પ્રેમની જ્યોતમળે,ને ધન્ય જીવન પણથાય
કુદરતની આઅજબલીલા,મળેજન્મસફળ થઇ જાય
. ………………….ઉગમણી ઉષા ઓળખાય.
જન્મમરણ છે દેહનોસંબંધ,જે જગતજીવથીસહેવાય
અવનીપરના આગમને,જીવથી પ્રભુભક્તિ મેળવાય
અંતરથી જ્યાંથાય પુંજા,ત્યાં સરળકામ સૌ થઈજાય
મૃત્યુ મળતાં દેહથી જીવને,મુક્તિ માર્ગજ મળી જાય
. …………………ઉગમણી ઉષા ઓળખાય.
===================================