સહવાસ
. સહવાસ
તાઃ૫/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઝાકળ મળે જોજીવને,તો દેહને સરળતા મળીજાય
મોહમાયાના બંધન એ તો,જીવના સંબંધે સહેવાય
. ………………ઝાકળ મળે જો જીવને.
કર્મબંધને જીવ જકડાતા,અવનીએ આગમન થાય
સત્કર્મોની એક કેડીએજ જગે,જીવ જાગૃત થઈજાય
શાંન્તિનોસહવાસ મળતાં,શ્રીજલાસાંઇની કૃપા થાય
માનવતાનીમહેંક સંગે,મળેલજન્મપાવન થઈ જાય.
. …………………ઝાકળ મળે જો જીવને.
એક અણસાર મળે જીવને,જે ધન્ય જીવનકરી જાય
મળે પ્રેમની એકબુંદ જીવનમાં,સાચીરાહ મળી જાય
મુક્તિનો સંકેત મળે સંતથી,જ્યાં ભક્તિ સાચી થાય
સરળજીવનની રાહમળતાં,જીવનોઉધ્ધાર થઈ જાય
. ………………..ઝાકળ મળે જો જીવને.
=====================================