વિચાર આવ્યો
. .વિચાર આવ્યો
તાઃ૧૮/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવી મનને મુંઝવણ ઘણી,ના કોઇથીય છટકાય
વિચાર આવ્યો પ્રભુકૃપાથી,સાચી ભક્તિએજબચાય
. ………………..માનવી મનને મુંઝવણ ઘણી.
જન્મ મરણના બંધન જીવને,કર્મ સંબંધેજ મેળવાય
અવનીપરના આગમને જીવને,સાચી સમજણ થાય
કર્મનીકેડી પકડે જીવને,જે જન્મમરણથી જ સમજાય
જલાસાંઇની પ્રીત પામતા,મુક્તિની રાહજ મળી જાય
. …………………માનવી મનને મુંઝવણ ઘણી.
કુદરતની આજ છે લીલા,અનેક દેહોથીજ મેળવાય
માયા મોહના અતુટ છે બંધન,જે જીવને જકડી જાય
કળીયુગી વિચારના વાદળ છોડતાં,શાંન્તિને સહેવાય
ભક્તિનો સંગાથ સાચવતાં,મોહ ને માયા ભાગી જાય
. …………………માનવી મનને મુંઝવણ ઘણી.
=======================================