એક જ શ્રધ્ધા
. .એક જ શ્રધ્ધા
તાઃ૨૧/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી,માનવમન મહેંકાય
ના માગણી કોઇ રહે જીવનમાં,એ સાચી રાહ કહેવાય
. ……………….શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
અલ્લા ઇશ્વર એક સમજતાં,જગે માનવજીવ મલકાય
શાંન્તિનોસહવાસ મળતાં,મળેલ જન્મસફળથઇ જાય
ઇશ્વરનીજેમ કૃપામળે જીવને,તેમ અલ્લાથી મેળવાય
જન્મસફળની કેડીમળતાં,માનવજન્મ સફળથઈજાય
. …………………શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
નિરાધારનો આધાર પ્રભુ છે,તેમ અલ્લાથીય સહેવાય
રાખી શ્રધ્ધા મળેલ દેહથી,એ જ સાચી ભક્તિ કહેવાય
અંત દેહનો ઉજ્વળ થાય,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
સંગરાખતા શ્રધ્ધાનો જીવનમાં,અનેક ભવો છુટી જાય
. ………………….શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
+++++++++++++++++++++++++++++++++++++