March 3rd 2016

. .જન્મદીનની શુભેચ્છા
તાઃ૨/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ અવનીએ,પરમાત્માની અસીમકૃપા કહેવાય અવનીપરનુ આગમન ૧૯૪૧માં,આજે ૭૫ વર્ષના થઇ જાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય. અમદાવાદથી આવ્યા અમેરીકા,મળ્યો સંબંધીઓનો સંગાથ
બકુબેનનો પવિત્ર સંગાથ મળતા,મળેલ જન્મ સફળ દેખાય આજકાલને સમજીચાલતા,સાહિત્ય સરીતામાં સન્માન થાય
હ્યુસ્ટનના સરસ્વતી સંતાનને,કલમનીકેડીથીસાથ મળીજાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય. પવિત્રરાહ જીવનમાં મળી,જે તેમના માબાપની કૃપાજ કહેવાય
નવીનભાઇનાસંગાથથી,હ્યુસ્ટનની સાહિત્યસરીતા વહેતી થાય
કલમ પકડીને રાહ બતાવે,જે પ્રદીપને હૈયે આનંદઆપી જાય પ્રાર્થના પરમાત્માને,સુખશાંન્તિ સંગે લાબુ આયુષ્ય મેળવી જાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++
. .હ્યુસ્ટનમાં કલમની કેડી સંગે આવી હ્યુસ્ટનના સરસ્વતી સંતાનને સાચી રાહ બતાવી જગતમાં વહેતી કરનાર શ્રી નવીનભાઈ બેંકરનો આજે ૭૫મા જન્મદીવસે કલમપ્રેમીઓના પ્રેમ રૂપે આ લખાણ જય જલારામ સહિત સપ્રેમ ભેંટ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના સરસ્વતી સંતાન.
February 8th 2016

. .સોમવતી અમાસ
તાઃ૮/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી પકડી ચાલતા,નિર્મળ જીવન મળતુ જાય
ભક્તિપ્રેમનો સંગ રાખતા,જીવપર ભોલેનાથની કૃપાથાય.
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
દુધઅર્ચના શિવલીંગે કરતા,સંગે ૐ નમઃ શિવાય સ્મરાય
અજબ શક્તિ શાળી એ દેવ,અવનીએ સ્મરણથી સમજાય
ગજાનંદ ગણપતિના પિતા,ને માતા પાર્વતીનાએ ભરથાર
પરમકૃપા મળે ભોલેનાથની,જ્યાં અંતરથીજ સ્મરણ થાય
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
દેહ મળતા અવનીએ જીવને,કર્મબંધનની કેડી મળી જાય
પાવનરાહમળે જીવનેજગે,જ્યાં પ્રેરણા ભક્તિથી થઈજાય
અંતરમાં આનંદ મળે,ને જીવનમાં સત્કર્મોના બંધન થાય
પવિત્રદીવસને પારખીજીવતા,કૃપા ભોલેનાથની થઈજાય
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
*******************************************
January 30th 2016
હ્યુસ્ટનની સાહિત્ય સરીતાનુ ગુજરાતમાં સન્માન

. .આનંદની વર્ષા
તાઃ૩૦/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની શીતળકેડી પકડી ચાલતા,સૌને ખુબ આનંદ મળી જાય
હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતા વહેવડાવી,નિર્મળપ્રેમને આપી જાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
ઉજ્વળ રાહે કલમને પકડતા,માતા સરસ્વતીની કૃપા થઇ જાય
ઉજ્વળ નામ છે તેમના કલમથી,જેમને પ્રેમથી જ વંદન કરાય
કલમની પવિત્રકેડીએ ચાલતા જ,સરિતા જગતમાં પ્રસરી જાય
શાંન્તિનો સહવાસ મળતા,કલમપ્રેમી પર આનંદની વર્ષા થાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
અભિમાનના વાદળ દુરજ રહે,જ્યાં નિર્મળતાએ કલમ પકડાય
અનંત કૃપા માતાની થતા,કલમની રાહ જગતમાં પ્રસરી જાય
ગુજરાતીઓનુ એ ગૌરવ છે કલમથી,જે સાચી રાહ આપી જાય
નિર્મળ ભાવનાએ કલમ ચાલતા,ગુજરાતમાં સન્માન મળીજાય
……….એ છે કલમપ્રેમીઓની કેડી,જેનુ ગુજરાતમાં સન્માન પણ થઈ જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
. .સરસ્વતી માતાની અસીમકૃપાએ હ્યુસ્ટનમાં સાહિત્ય સરીતાથી કલમની કેડી
વહી જાય. કલમપ્રેમીઓની નિખાલસ ભાવનાએ જગતમાં સન્માન થઈ જાય.જે
હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ ગૌરવ છે જે સન્માન કહેવાય તે યાદ રૂપે આ લખાણ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
January 20th 2016
. .લગ્નજીવન

. Happy Marriage Anniversary
તાઃ૨૦/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અસીમ કૃપાએ,રાહુલને સાચો સંગાથ મળી જાય
કર્મની પવિત્રકેડી લઇ જીવતા,પત્ની મીતાનો સાથ મળી જાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળ્યો જ્યાં પ્રેમ માબાપનો,ત્યાં રાહુલને નિર્મળ રાહ મળી જાય
ભણતર એ જીવનની કેડી,જે મેળવતા સાચીસમજણ મળી જાય
મળી ગયો માબાપનો પ્રેમ,સંગે ભાઈ બહેનની પ્રીત મળી જાય
કૃપા મળી ભગવાનની તેને,જે મીતાના લગ્ન બંધનથી દેખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
પવિત્રજીવનની રાહે જીવતા,માતાપિતાનોપ્રેમ પણ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી પકડતા, પુત્ર યુગ સાચી રાહ ચાલી જાય
એજ રાહે જીવન જીવતી દીકરી ક્રિશ્ના,માબાપને વંદન કરી જાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,જ્યાં સાચી નિર્મળભક્તિ થાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
મળે પ્રેમ માબાપનો રાહુલને,જ્યાં નિખાલસ સેવા એ કરી જાય
અ.સૌ.મીતાને પણ મળે પ્રેમ તેમનો,જ્યાં સંસ્કાર સાચવી જાય
સુખ શાંન્તીની રાહે જીવન જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
ભાઈ પ્રદીપને આનંદઅનેરો,સંગે રમા,રવિ,દીપલ પણ હરખાય
………..પાવનરાહને પારખી જીવતા,શ્રી સ્વામીનારાયણની કૃપા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
. .મારા નાનાભાઈ રાહુલના ૨૦મી જાન્યુઆરીના રોજ જીવનસંગીની
અ.સૌ.મીતાની સાથે લગ્ન થયા.તે દીવસની યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ
જય શ્રી સ્વામીનારાયણ સહિત ભેંટ. જાન્યુઆરી ૨૦,૨૦૧૬
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના જય જલારામ.
January 11th 2016
. . . . .
.
.
.
.
.
.
. . આઝાદ ભારત
તાઃ૮/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુરવીરોનો જ્યાં સાથ મળે,ત્યાં અજબશક્તિ મળી જાય
ભારતદેશને આઝાદી,શુરવીરોના સંગાથથી મળી જાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
અંગ્રેજોની તાકાત હતી,જે જગતમાં સત્તાએ દેખાઈ જાય
ના કોઇની લાયકાત હતી જગતમાં,કે તેમને આંબી જાય
શુરવીરોનો સંગાથમળતા,ભારતને આઝાદીએ લઈજાય
મહાન આત્મા ગાંધીજીનો,જેદેશમાં મહાત્માએ ઓળખાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
સરદાર હતા વલ્લભભાઈ,જેને ગુજરાતની શાન કહેવાય
આંબી લીધા અંગ્રેજોને દેશમાં,ભારત છોડીને ભાગી જાય
મળીગઈ આઝાદી દેશને,જે દેશવાસીઓને ખુશકરી જાય
માનઅને સન્માન ગુજરાતીઓનું,નાકોઇથી એને અંબાય
………….એ જ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++
December 31st 2015

. .સલામ
૩૧/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત આનંદની વર્ષા થાય,જ્યાં મને સાચોપ્રેમ મળી જાય
સરસ્વતી સંતાનના સહવાસે,સાહિત્ય સરીતા ઉજ્વળ થાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
પ્રેમથી મળે પ્રેરણા જીવનમાં,જે કલમ થકી જ સચવાઇ જાય
મા સરસ્વતીની કૃપા વરસતા,જીવને અજબ રાહ મળી જાય
સલામકરુ હુ સંગાથીઓને,જેમના પ્રેમથી સાચીરાહ મેળવાય
ના મને અભિમાનઅડે કે કોઇમોહ,એજ આંગળી ચીંધી કહેવાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
મળ્યો છે સાચો નિર્મળપ્રેમ હ્યુસ્ટનમાં,જે મારૂ નસીબ કહેવાય
કલમ મારી નિર્મળચાલતા,સૌ પ્રેમીઓને અનંત આનંદ થાય
એ નિર્મળકલમપ્રેમીઓ છે,જે કલમથીઉજ્વળકેડીએ લઇજાય
દેખાવને પકડી ચાલતા સંગે,ના કોઇ લાયકાતને મેળવી જાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
૦+++++++૦********૦++++++૦*********૦+++++++૦
December 30th 2015
. . જન્મ દીવસ
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની આ અદભુત લીલા,આગમને અનુભવાય
સંતાન થઈને આવતા જીવને,માબાપનોપ્રેમ મળી જાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
જીવ જગતમાં ઘુમી રહે આકાશમાં,ના કોઇ દેહથી જોવાય
અદભુતલીલા પરમાત્માની જગે,જે જન્મ મળતા સહેવાય
દેહે કરેલ કર્મ અવનીએ,જે સમયની સંગે જ ચાલતા જાય
માનવતાની મહેંક પ્રસરે,ત્યાં દેહનો જન્મદીવસ ઉજવાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
પુણ્યકર્મ જે થાય દેહથી,તે જીવનમાં ભક્તિ રાહ દઈ જાય
શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,જીવપર કૃપા પ્રભુની થાય
માગણીમોહને દુર રાખીને જીવતા,જીવન ઉજ્વળ થઈજાય
અવનીપરના આગમનને સમજતા,દેહ મુક્તિમાર્ગે દોરાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++
December 28th 2015
. .આગમન ૨૦૧૬નુ
તાઃ૨૮/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહને સંબંધ છે ઉંમરથી,જે સમયની સાથે ચાલી જાય
અવનીને અડે છે આવતી કાલ,જે વર્ષોવર્ષથી દેખાય
………..જન્મ મળે ત્યાં જીવન સ્પર્શે,જે ના કોઇથીય પકડાય.
પરમાત્મા એદેહ લીધો અવનીએ,જે ભુતકાળ કહેવાય
જન્મમળે ત્યાં મૃત્યુસ્પર્શે,ના પ્રભુ રામકૃષ્ણથી છોડાય
અનેક વર્ષો થઈગયા જગતપર,ના કોઇથીય છટકાય
આવતીસાલ એતો આગમન છે,જેને સં.૨૦૧૬ કહેવાય
……….એજ કુદરતની લીલા છે,જે સાચી ભક્તિએજ સમજાય.
થયેલકર્મ એછે ભુતકાળ,ને આવતીકાલની રાહ જોવાય
પગલુભરતા પહેલા સમજી ચાલતા,શાંન્તિ જીવને થાય
સં.૨૦૧૫ એ હવે ભુતકાલ થશે,ને હવે આવશે સં.૨૦૧૬
આ જ પરમાત્માની રાહ અવનીએ,ના કોઇથીય છટકાય
……….એજ કુદરતની લીલા છે,જે સાચી ભક્તિએજ સમજાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
November 17th 2015

. .બાપાનો જન્મદીવસ
તાઃ૧૮/૧૧/૨૦૧૫ (કારતક સુદ ૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિરાહ જગતને દેવા,વિરપુરમાં એ જન્મ લઈ જાય
રાજબાઈમાતાના એ સંતાન,ને પિતા પ્રધાન કહેવાય
………..એવા પવિત્ર રાહી જગતમાં,શ્રી જલારામ બાપા કહેવાય.
આંગળી પકડી ભક્તિની,ત્યાં વિરબાઈ માતા મળી જાય
શ્રધ્ધા રાખી સંતોને જમાડવા,સદાવ્રતનુ સ્થાપન થાય
આવી અનેક જીવો જમે,જ્યાં પરમાત્માથી પરીક્ષા થાય
સાચી રાહ પકડી જીવનમાં,જે પવિત્ર ભક્તિપ્રેમકહેવાય
………..એવા વ્હાલા જલાબાપાનો,આજે જન્મ દીવસ ઉજવાય.
સંસ્કાર સાચવી સંગ આપતા,વિરબાઈમાની પરીક્ષા થાય
પરમાત્મા આવી સેવા માગતા,જલાના આદેશે ચાલી જાય
અજબ શક્તિ છે ભક્તિની જગતમાં,જ્યાં સિધી રાહ લેવાય
સેવાકરવા જતાવિરબાઈને,ઝોળી લાકડીઆપી ભાગી જાય
……….એવા વ્હાલા જલાબાપાનો,આજે જન્મ દીવસ ઉજવાય.
======*******======*******======*******=====*******==
. .જગતમાં પરમાત્માની કૃપા પામવાની સાચી રાહ બતાવી પવિત્ર જીવન
જીવેલા સંસારીસંત પુજ્ય જલારામબાપાનો હિન્દુ તહેવાર પ્રમાણે આજે જન્મદીવસ
છે તે દીવસની યાદ રૂપે તેમના ચરણમાં ભક્તિરાહ દેનાર સંતને જય શ્રીરામ સહિત
આ કાવ્ય વંદન સહિત જન્મદીનની યાદ રૂપે અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવારના જય શ્રી રામ.
November 8th 2015

. . હું ગુજરાતી
તાઃ૮/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓનુ એતો ગૌરવ છે,જ્યાં દીવાળી ઉજવાઈ જાય
શ્રધ્ધા પ્રેમની જ્યોત પકડી,માતા લક્ષ્મીનું પુંજન થઈજાય
………..એ જ સાચી રાહ જીવની,મળેલ જન્મ સાર્થક એ કરી જાય.
મઠીયા ઘુઘરા એ પ્રેમ સાચો,સૌને આવકારીને અર્પણ થાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં સંબંધથી આંખોભીની થઈજાય
મળે પ્રેમ માબાપનોસંતાનને,ને ભાઈને બહેન પણમળીજાય
લાગણી મોહને દુર રાખી જીવતા,કળીયુગની કાતર તુટી જાય
………એ જ નિખાલસ પ્રેમ જીવનો,જે પવિત્ર તહેવારોને સચાવાય.
ફટાકડા ફુટતા જ વાદળ ગાજે,જ્યાં કુદરત પણ દુર રહી જાય ભાવના રાખી પ્રસંગ પારખતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
ભુતકાળની ભુલને દુર રાખતા જ,સૌનો સાચો પ્રેમ મળી જાય
ના કાતર ના સોય સ્પર્શેજીવને ,જ્યાં જલાસાંઇની ભક્તિથાય
………એ જ પવિત્ર તહેવાર કહેવાય,જે નિખાલસ પ્રેમથી ઉજવાય. ++++++++++++++++++++++++++++++++++++++++++