February 26th 2014

. . ભોળાનાથની ભક્તિ
તાઃ૨૬/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ,પરમ કૃપાળુ ભોળાનાથ હરખાય
મહા શિવરાત્રીના પવિત્રદીને,માતા પાર્વતી સંગે આવી જાય
. …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
અખંડ સ્મરણ ૐ નમઃશિવાય કરતાં,કૃપાએ પાવન કર્મો થાય
નિર્મળ જીવનની ઉજ્વળરાહે,જીવને અનંત શાંન્તિ મળી જાય
અજબ શક્તિ ભોળાનાથની જગે,જે નિર્મળ ભક્તિએ કૃપા થાય
માતા પાર્વતીની ભક્તિકરતા,પિતા ભોળાનાથ પણ રાજીથાય
. …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
ઉજ્વળ રાહ મળે પ્રદીપને ,જ્યાં મહાશિવરાત્રીએ અર્ચના થાય
પંચામૃતના અભિશેકથી,પિતા સંગ શ્રી ગણપતિજીની કૃપાથાય
ત્રિશુળધારી છે અતિ દયાળુ,જીવનમાં સાચી ભક્તિ આપી જાય
મોહમાયા કળીયુગના છુટતા,જીવનેમળેલ જન્મસફળ કરીજાય
. ……………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
=======================================
. .પરમપિતા શંકર ભગવાન,માતા પાર્વતી અને શ્રી ગણપતિના ચરણે
મહા શિવરાત્રીના પવિત્ર દીને ૐ નમઃ શિવાયના સ્મરણ સહિત વંદન.
આપના સેવક પ્રદીપ,રમા,દીપલ,રવિના કોટી કોટી વંદન. મહા વદ ૧૩,૨૦૭૦.
+++++++++++++++++++++++++++++++++++++++++
February 7th 2014

. દુર્ગાષ્ટમી
તાઃ૭/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુર્ગામા તારા દર્શન કરતાં,મારા જીવને શાંન્તિ થાય
મનને શાંન્તિ અતુટ મળતા,પાવનકર્મ મનથી થાય
. …………………દુર્ગામા તારા દર્શન કરતાં.
અજબ શક્તિ માતારી જગમાં.જ્યાં રાક્ષસ હણાઇ જાય
પાપની પોટલી લઈને ફરતાં,મા તને જોઇ ભાગી જાય
નિર્મળ ભાવે ભક્તિ કરતાં,તારી અસીમ કૃપા થઈ જાય
દુર્ગામંત્રનાસ્મરણ માત્રથી,પ્રદીપનુ જીવનપાવનથાય
. ………………….દુર્ગામા તારા દર્શન કરતાં.
ભોળાભાવે ભક્તિ કરતાં જીવનમાં,રાહ સરળ થઇ જાય
કૃપા માતાની જીવ પર પડતાં,અજબશક્તિ મળી જાય
પ્રભાત પહોરે દર્શન કરતાં,માતાનીકૃપા જીવપર થાય
અખંડ પ્રેમ મળે માતાનો,જીવને મુક્તિમાર્ગ મળી જાય
. …………………..દુર્ગામા તારા દર્શન કરતાં.
++++++++++++++++++++++++++++++++++++
દુર્ગાષ્ટમીના પવિત્રદીને દુર્ગામાતાને પ્રદીપના પ્રેમથી વંદન
…………………ૐ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા………….
====================================
February 7th 2014

. માતા ખોડીયાર
તાઃ૭/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખી માતાને ભજતા,માતા ખોડીયાર રાજી થાય
ચરણ કમળને સ્પર્શ કરતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
. ………………..શ્રધ્ધા રાખી માતાને ભજતા.
નિર્મળ ભાવના સંગે રાખીને,માતાના ચરણને સ્પર્શ થાય
પ્રભાત પહોરે વંદન કરીને,માતાને પ્રેમથી દીવોય કરાય
શ્રધ્ધાએ ખં ખોડીયારાય નમઃ સ્મરણથી માતા રાજીથાય
સરળ જીવનમાં કૃપા મળતા,પવિત્ર ભક્તિરાહ મળીજાય
. ………………….શ્રધ્ધા રાખી માતાને ભજતા.
અજબ કૃપા મા ખોડીયારની,જે સાચી ભક્તિએ મેળવાય
નિખાલસ ભાવનાએ ભક્તિ કરતાં,પાવનરાહ મળી જાય
આવીમાતા ઘરમાંરહે,જે જીવને સાચીશ્રધ્ધાએ સમજાય
કૃપાનીકેડી પાવનબનતા,સંતાનને રાહસાચી મળીજાય
. …………………… શ્રધ્ધા રાખી માતાને ભજતા.
======================================
. માતા ખોડીયાર જયંતી પ્રસંગે માતાના ચરણમાં પ્રેમથી પ્રદીપ બ્રહ્મભટ્ટ
તથા પરિવાર તરફથી જય મા ખોડીયાર સહિત અર્પણ.શુક્રવાર.૭/૨/૧૪.
—————————————————————
January 21st 2014

. અભિનંદનની વર્ષા
તાઃ ૫/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર,ગુજરાતી સમાજે બતાવી અહીં
હ્યુસ્ટન વસતા ગુજરાતીઓએ,પ્રેમથી પ્રમુખ બનાવી દીધા ભઈ
. ………………………વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
પ્રેમ નિખાલસ સંગે રાખીને,સ્નેહસાચો સૌને સદાય દેછે એ અહીં
નિરાધારનો આધાર એ બનીને,વડીલોને વંદન પણ કરે છે જઈ
ઉજ્વળરાહ પતિ રાજુભાઇથી,પત્નીની કેડી લઈને આવ્યા અહીં
સંતાનને સાચી રાહ દીધી,ને સમાજને પ્રેમનીગંગા આપી અહીં
. ……………………….વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
અમીબેનની અમીવર્ષા લેતા,પ્રેમનીવર્ષાએ પ્રમુખ બનાવ્યાઅહીં
ઉજ્વળતાના પ્રસંગો સાચવી,ગુજરાતીઓને આનંદ કરાવશે ભઈ
મોહમાયા નાકદીય સ્પર્શે તેમને,જ્યાં સંત જલાસાંઈની દ્રષ્ટી થઈ
પ્રદીપને હૈયે આનંદ અનેરો,સંગે રમા,રવિ,દીપલ હરખાય છે અહીં
. ………………………વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
———જય જય ગરવી ગુજરાત….બોલો જય જય ગરવી ગુજરાત…………………….
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
. અમારા આણંદના અંબાલાલ સાહેબના દીકરા શ્રી રાજુભાઇના પત્ની શ્રીમતી અમીબેન
હ્યુસ્ટનના ગુજરાતી સમાજના વર્ષ ૨૦૧૪ના પ્રમુખ થયા છે જે અમારા સૌ માટે એ ગૌરવ છે.
તેમનો નિખાલસ પ્રેમ અને સાચી લાયકાતે સમાજે તેમને દોર સોંપી છે.તેમના મોટાભાઇ
શ્રી વસંતભાઇ અને ભાભી વીણાબેને પણ સમાજની ઘણી સેવા કરી છે અને અત્યારે પણ કરે છે.
તે સૌને પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી જયજલારામ અને જય સાંઇબાબા સહિત અભિનંદન.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
—————————————————————————————-
January 3rd 2014
Shree Laxmi prashad Thakarji

. પુજ્ય લક્ષ્મીપ્રસાદ સાહેબ
. વંદન સાહેબને
તાઃ૩/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વંદન લક્ષ્મીપ્રસાદ સાહેબને,કૃપાએ સંગીતની કેડી મળી જાય
ડી.એન હાઇસ્કુલ યાદ આવતા,સૌ પ્રથમ સાહેબને વંદન થાય
. …………………….વંદન લક્ષ્મીપ્રસાદ સાહેબને.
સંગીતના સુરને શીખવા કાજે,તેમને વંદી આશીર્વાદ મેળવાય
ભણતા ભણતા તાલ મેળવી,પ્રાર્થનામાં ભજન મારાથી ગવાય
આશીર્વાદની કેડી મને મળતા,ગોપાલજીત ગ્રુપ શરૂ થઈ થાય
અવાજ પારખી સૌ આનંદ માણતા,આજે પણ તેને યાદ કરાય
. …………………….. વંદન લક્ષ્મીપ્રસાદ સાહેબને.
અવનીપરના આગમનને બિરદાવી,પવિત્ર રાહ સૌને દેવાય
એવી ઉજ્વળ કેડી છે તેમની,જેને કદીય કોઇથીય ના ભુલાય
શિક્ષક બનીને સંગીતના ડી.એનમાં,વિધ્યાર્થીઓને ભણાવાય
વંદન મારા સાહેબને જેમને જલાકૃપાએ મુક્તિમાર્ગ મળી જાય
. ………………………વંદન લક્ષ્મીપ્રસાદ સાહેબને.
+++++++++++++++++++++++++++++++++++++++
. .મારા સ્કુલના સંગીતના સાહેબ શ્રી લક્ષ્મીપ્રસાદ ઠાકરે આજે દેહ મુકી
સંત જલાસાંઇની કૃપાએ મુક્તિમાર્ગ મેળવી સ્વર્ગમાં વાસ કર્યો છે.પરમાત્મા
તે જીવને પરમ શાંન્તિ આપી સ્વર્ગમાં જ વાસ આપે તેવી પ્રાર્થના.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર (હ્યુસ્ટન)
ગોપાલજીત એન્ડ હીઝ ઑરકેસ્ટ્રા,આણંદ તથા સીને સર્કલ,આણંદના જય
જલાસાંઇ સહિત વંદન.
December 31st 2013
. વર્ષ ૨૦૧૪
તાઃ૩૧/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ લીલા છે અવિનાશીની,અવનીપર આગમને સમજાય
સમય ના પકડાય કોઇથી જગતમાં,તોય વર્ષતો વધતા જાય
. ……………….. અજબ લીલા છે અવિનાશીની.
જન્મ મળતા જીવને દેહથી,જેને બાળપણ છે એમ કહેવાય
સમયની ચાલતી નિર્મળ કેડીમાંજ,દેહે જુવાની આવી જાય
આજકાલને સમજી ચાલતા,૨૦૧૩ પછીવર્ષ ૨૦૧૪ દેખાય
ઉજ્વળ જીવનની રાહ મેળવવા,ભક્તિએ કૃપાપ્રભુની થાય
. ………………….અજબ લીલા છે અવિનાશીની.
નિર્મળ જીવનમાં મળતા,સંસ્કારની શીતળ કેડીને પકડાય
વડીલને પ્રેમે વંદનકરતાં,આશીર્વાદની ગંગા વહેતી જાય
ભુતકાળને ભુલી જઈને,જ્યાં આવતીકાલનો વિચાર થાય
મળે કૃપાજલાસાંઇની,જે જીવને પવિત્રરાહ પણ આપીજાય
. …………………. અજબ લીલા છે અવિનાશીની.
======================================
December 10th 2013
. વર્ષનો અંત
તાઃ૧૦/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીવાળી ગયે મહીનો થયો,ને આવી ક્રીસમસની ઇવ
મંદીર છોડીને દોડો ચર્ચમાં,એજછે અમેરીકનની રીત
. …………………….દીવાળી ગયે મહીનો થયો.
મંદીરમાં જઈ દીવા કરો,ને અગરબત્તી સળગાવો જઈ
ઘરમાં ના ભોજન કરશો કંઇ,ખાવાનુ ત્યાં ખાજોને ભઈ
અવસર મળે છે તમને મળવાનો,ના છોડશો એને તઇ
ગુજરાતીઓનો શીતળ સ્નેહ,પકડાઇ જાય છે એ અહીં
. …………………….દીવાળી ગયે મહીનો થયો.
ગળુ પકડાય તેમ ટાઇ બાંધજો,ને શુટને પહેરજો અહીં
બુટ કાઢવાની કોઇ જરૂર નથી,એ ચર્ચમાં રાખજો ભઈ
ના જરૂર કોઇ દીવા બત્તીની,કે ના ભજન ગાવાની તઇ
મળજો એક બીજાને પ્રેમથી,જ્યાં નિકળો ચર્ચથી ભઈ
. ……………………ને ક્રીસમસ માણજો ભઈ
.================================
November 16th 2013
. ડો.ચંદ્રવદન મિસ્ત્રી

. .પ્રેમથી આવકાર
તાઃ૧૫/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો પ્રેમ માતાનો જીવને જીવનમાં,
. .ત્યાં જ શબ્દની સરળતા સમજાઇ ગઈ;
પ્રેમ પારખી કલમનો હ્યુસ્ટન આવ્યા,
. .ચંદ્રવદનભાઇ સરિતા વહેતી જોવા અહીં.
. ………………….મળ્યો પ્રેમ માતાનો જીવને.
લાગણી પ્રેમની વર્ષા અંતરમાં થઈ,
. .ના દેખાવ કોઇ કળીયુગનો અડે અહીં;
સરસ્વતી માતાના સંતાનની કેડી શીતળ,
. .હ્યુસ્ટનમાં શબ્દનીકેડી પકડી ચાલતી થઈ.
. …………………મળ્યો પ્રેમ માતાનો જીવને.
ચંદ્ર પુકાર ની શીતળ કલમને વાંચતા,
. .લાગણી પ્રેમની જ્યોત સૌને મળતી થઈ;
શબ્દ સમજીને કલમ ચલાવતા અહીં,
. .ઉજ્વળ રાહ જીવનમાં પ્રેમ લાવતી ગઈ.
. …………………. .મળ્યો પ્રેમ માતાનો જીવને.
=====================================
. .માતા સરસ્વતીની કૃપા મેળવી કલમની કેડી પકડી ચાલતા ડૉક્ટર
શ્રી ચંન્દ્રવદનભાઇ મિસ્ત્રી આજે કલમપ્રેમીઓનો પ્રેમ પારખી હ્યુસ્ટનમાં પધાર્યા છે
તે પ્રેમની યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ ભેંટ
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના કલમ પ્રેમીઓ.
November 8th 2013

. .જલારામ જયંતી
તાઃ૯/૧૧/૨૦૧૩ (કારતક સુદ-૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત જલાવી પ્રેમની,અને ભક્તિનો રાખ્યો સંગ
માનવતાની મહેંક પ્રસરાવી,દીધો ભક્તિનો રંગ
…………એવી જલારામની ભક્તિ,જગે આપ્યો પ્રેમનો સંગ
નિર્મળતાનો સંગ રાખીને ઘેર,ખોલ્યુ અન્નનુ ઉપવન
વીરબાઇમાતાનો સાથ મેળવીને,ભોજન દીધુ અનંત
પરમાત્માનો પ્રેમ મેળવી,ઉજ્વળ કર્યુ માનવ જીવન
ઝોળી ડંડો મુકીને ભાગ્યા પ્રભુ,જ્યાં ભક્તિ રંગે છે મન
………..એવી જલારામની ભક્તિ,જગે આપ્યો પ્રેમનો સંગ.
અવનીપરનુ આગમન,જલારામના નામે કર્યુ પાવન
સંસ્કાર સાચવી વીરબાઇ માતાએ,ઉજ્વળ કર્યુ જીવન
પતિપ્રેમને નિર્મળ પાવન કરી,સેવાનો રાખ્યો છે સંગ
સંતનીસેવા કરવાચાલ્યા,રાખીપતિનીઆજ્ઞામાં ઉમંગ
………..એવી જલારામની ભક્તિ,જગે આપ્યો પ્રેમનો સંગ.
*******************************************
. .સંત પુજ્ય જલારામ બાપાના જન્મદીને તેમના ચરણમાં સપ્રેમ અર્પણ.
પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હિમાના વંદન.કારતક સુદ સાતમ ૨૦૭૦
. .હ્યુસ્ટનમાં આ દીવસે હીલક્રોપ્ટ પર આવેલા જલારામબાપાના મંદીરમાં
પુજ્ય લક્ષ્મીબા ઠક્કર તરફથી બાપાના જન્મદીનની ઉજવણી રાખેલ છે.બધા
ભક્તોને તેમણે પ્રેમથી આવકાર્યા છે.
November 1st 2013

. . આસો વદ તેરસ
તાઃ૧/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર તહેવારની સાંકળ,દીવાળી લઇને આવે આજ
ધનની વર્ષા માતા કરે,જ્યાં આસો વદ તેરસે પુંજાય
. ………………….પવિત્ર તહેવારની સાંકળ.
હિન્દુ ધર્મની શીતળ કેડી,ભાવનાથી પરમાત્મા પુંજાય
મળીજાય કૃપા પ્રભુનીજીવને,જે ઉજ્વળ જીવને દેખાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવથીપાવન રાહ મેળવાય
સુખશાંન્તિના વાદળ ફરતાં,ના વ્યાધીઓ કોઇ અથડાય
. ……………………પવિત્ર તહેવારની સાંકળ.
સાગર જેવી માયા કળીયુગની,ના કોઇ જીવથી છટકાય
જલાસાંઇની જ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવનમાંથાય
મળેલ દેહને કૃપા સમજી ચાલતા,ભક્તિ રાહ મળી જાય
નિર્મળ ભાવે પ્રેમે ભક્તિ કરતાં,પ્રભુ આંગણે આવી જાય
. ………………….. પવિત્ર તહેવારની સાંકળ.
================================