માતા ખોડીયાર
. માતા ખોડીયાર
તાઃ૭/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખી માતાને ભજતા,માતા ખોડીયાર રાજી થાય
ચરણ કમળને સ્પર્શ કરતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
. ………………..શ્રધ્ધા રાખી માતાને ભજતા.
નિર્મળ ભાવના સંગે રાખીને,માતાના ચરણને સ્પર્શ થાય
પ્રભાત પહોરે વંદન કરીને,માતાને પ્રેમથી દીવોય કરાય
શ્રધ્ધાએ ખં ખોડીયારાય નમઃ સ્મરણથી માતા રાજીથાય
સરળ જીવનમાં કૃપા મળતા,પવિત્ર ભક્તિરાહ મળીજાય
. ………………….શ્રધ્ધા રાખી માતાને ભજતા.
અજબ કૃપા મા ખોડીયારની,જે સાચી ભક્તિએ મેળવાય
નિખાલસ ભાવનાએ ભક્તિ કરતાં,પાવનરાહ મળી જાય
આવીમાતા ઘરમાંરહે,જે જીવને સાચીશ્રધ્ધાએ સમજાય
કૃપાનીકેડી પાવનબનતા,સંતાનને રાહસાચી મળીજાય
. …………………… શ્રધ્ધા રાખી માતાને ભજતા.
======================================
. માતા ખોડીયાર જયંતી પ્રસંગે માતાના ચરણમાં પ્રેમથી પ્રદીપ બ્રહ્મભટ્ટ
તથા પરિવાર તરફથી જય મા ખોડીયાર સહિત અર્પણ.શુક્રવાર.૭/૨/૧૪.
—————————————————————