October 13th 2013

. . વિશાલની વિશાળતા
તાઃ૧૩/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓની ગડબડને,જગતમાં નાકોઇ આંબી શક્યુ છે ભઈ
વિશાલની અદભુત વિશાળતાએ,કાગળમાં લખાઇ રહ્યુ છે અહીં
. …………………….ગુજરાતીઓની ગડબડને.
અબકડને આંબી લીધુછે અહીં,એજ પ્રમુખપૅડની જગતમાંતાકાત
ઉજ્વલતાની કેડી દેવા કાજે,મનમાં આવતા વિચારનેય લખાય
સાહિત્યની સરિતા વહેવડાવી હ્યુસ્ટનમાં,એજ માનવતા કહેવાય
શબ્દ નામળે કોઇને જગતમાં,જે વિશાલની મહેનતને માપી જાય
. ………………………ગુજરાતીઓની ગડબડને.
શુધ્ધ ભાવનાનો સંગ રાખીને,મનથી સાચી મહેનત કરે છે અહીં
શબ્દોની અજબકેડીને પકડીચાલવા,પૅડથી લખાઇ જાય છે ભઈ
કૃપા પુજ્ય પ્રમુખસ્વામીની થતાં,હ્યુસ્ટનમાં વિશાલ આવ્યાઅહીં
કલમનો સંગ સરસ્વતી સંતાનને દેતા,સરિતા આવી ગઈ અહીં
. …………………….ગુજરાતીઓની ગડબડને.
=========================================
. .હ્યુસ્ટનમાં શ્રી વિશાલભાઇ મોનપુરાએ પુજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદથી ગુજરાતી
ભાષાને કોમ્પ્યુટર પર લખવા માટે પ્રમુખ ટાઇપપૅડ બનાવી જગતમાં એક ઉત્તમ કામ કરેલ છે.
ગુજરાતી સાહિત્ય સરિતાને કલમનો સાથ આપી ઘણી ઉત્તમ સેવા કરી છે.જે અભિનંદનને પાત્ર છે.
તેની યાદ રૂપે હ્યુસ્ટનના પ્રદીપ બ્રહ્મભટ્ટ અને કલમપ્રેમીઓ તરફથી સપ્રેમ ભેંટ.
October 11th 2013

. .દીપનો ઉજાસ
. (દીવાળી)
તાઃ૧૧/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર,જેને દીવાળી કહેવાય
આસો માસે અમાસ ઉજવે,વર્ષનો આખરી દીન બનીજાય
. …………………ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
મઠીયા સુંવાળી અને ઘુઘરા,એ હિન્દુઓના આગમને દેવાય
પ્રેમથી ખાઇને આનંદ માણો,એ જ સાચી માનવતા કહેવાય
માનવતાની આ સાચી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી આવકારાય
આજકાલને સમજીલેતા જીવનમાં,સાચીમાનવતા સચવાય
. ………………….ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
ગુજરાતીઓની ગરવીછે ગાથા,જગતમાં સંભારણા બનીજાય
ભારત દેશને ઉજ્વળરાહે દોરનાર,એ ગુજરાતીઓ જ કહેવાય
મનમક્કમ ને શ્રધ્ધા સાચીએ,માનવ જીવન પવિત્ર થઈ જાય
માનવતાની મહેંકપ્રસરાવતા,મળેલ આજન્મ સાર્થક થઈ જાય
. …………………..ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
+++++++++++++++++++++++++++++++++++++
October 4th 2013
.
. .માડીના ગરબા
તાઃ૪/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના નવ દીવસે,ગરબે ઘુમતા માતા રાજી થાય
આશીર્વાદની કેડી પકડતા,મળેલજીવન ધન્ય થઈ જાય
. ………………..નવરાત્રીના નવ દીવસે.
ગરબે ઘુમી તાલી દેતા,માડી તારા પ્રેમની વર્ષા થાય
પગલે પગલુ સાચવી ભરતા,કૃપાએ પાવાગઢ ચઢાય
કાળકામાની એક દ્રષ્ટિએ,પ્રદીપનુ જીવન ઉજ્વળથાય
મળી જતા પ્રેમ માતાજીનો,અમારૂ જીવન પાવન થાય
. …………………. નવરાત્રીના નવ દીવસે.
અંબામાતાને ગરબે ઘુમતા,જયઅંબે જયઅંબે સંભળાય
માતાની અસીમ કૃપાએ,માતાના દર્શન પણ થઈ જાય
મેલડી માતાની એક મહેરે,જીવને પાવનરાહ મળી જાય
બહુચરામાની એકદ્રષ્ટિએ,ઉજ્વળ સંતાનપ્રેમ મળીજાય
. …………………..નવરાત્રીના નવ દીવસે.
**********************************************
. .આવતીકાલથી હિન્દુ ધર્મમાં નવરાત્રીનો પ્રારંભ થાય છે.માતાજીની અસીમ કૃપા
શ્રધ્ધાથી જ મળે છે.સાચી શ્રધ્ધા રાખી નવરાત્રીમાં માતાજીની પુંજા કરવાથી માતાની
અસીમ કૃપા મળે છે અને મળેલ જન્મ સાર્થક કરે છે.સૌ વાંચકોને શુભ નવરાત્રી.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને પરિવારના જય જલારામ.
September 26th 2013

. .કુદરતનો કોપ
તાઃ૨૬/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધર્મના નામે ધતીંગ ચાલતાં,હવે કળીયુગ પણ રૂઠી ગઇ
વણમાગેલી આફતે માનવી,અહીતહી ભટકતો થયો ભઈ
. …………………..ધર્મના નામે ધતીંગ ચાલતાં.
માનવતાને માળીયે મુકતા જ,જીવને કુદરત જકડતી ગઈ
નામાગેલી આફત મળતા,અંતે એ ઘરમાં ભરાઇ રહેતો જઈ
દેખાવની દુનીયાના સંબંધે,અચાનક આફતો ભટકાય અહીં
નિર્મળતાનો ના સંગ રહેતા,કુદરતનો કોપ વરતાય છે ભઈ
. ……………………ધર્મના નામે ધતીંગ ચાલતાં.
વણ કલ્પેલ વરસાદ વરસે,ને વાવાઝોડુ ક્યારેકઆવી જાય
ભગવુ,સફેદ કે પીળુ પહેરેલ હોય,તોય મુંઝવણમાં એ ફસાય
નામળે જીવને શાંન્તિ દેખાવમાં,કે ના કોઇ આફતથી બચાય
કળીયુગની આકેડી છે એવી,જેમાં નિખાલસ પણ ફસાઇજાય
. …………………ધર્મના નામે ધતીંગ ચાલતાં.
=======================================
September 11th 2013
Shri Mridul Krishan Goswami

. भक्ति ज्योत
ताः११/९/२०१३ प्रदीप ब्रह्मभट्ट
भक्ति प्रेमकी ज्योत लेकर,ह्युस्टन आये श्रीमृदुलजी आज
प्रेमभावना भक्तोकी देखकर,श्री कृष्णकी कृपा हो गई आज
. ……………..भक्ति प्रेमकी ज्योत लेकर.
अनंतआनंद होगा सबको,जब मृदुलजीकी कथा सुनेंगे साथ
भक्तिभावना कथासे देकर,करेंगे सच्ची भक्तिका गुणगान
कलीयुगकी चादरको छुडाके,लेजायेंगे भक्तोको प्रभुके द्वार
निर्मलताका सहवास दीलाके,कर जायेंगे जीवोका कल्याण
. ……………..भक्ति प्रेमकी ज्योत लेकर.
मिलेगी शांन्ति भक्तिसे जीवोको,ना जगमे है कोइ देनार
अपार कृपा हो अवीनाशीकी,जहां प्रेमसे ये कथा सुनी जाय
अंतरमें आनंद रहे जीवको,और मनमें शांन्ति रहे अपार
तनमनधनसे कृपा रहे देवकीनंदनकी,उज्वळ जीवन थाय
. ……………….भक्ति प्रेमकी ज्योत लेकर.
*********************************************************
. .ह्युस्टनके भक्तोकी विनंती सुनकर देवकीनंदन श्री कृष्णकी कृपा हुइ
और महान कथाकारश्री मृदुल कृष्ण गोस्वामीजी महाराज हमारे ह्युस्टनमें पधारे है
हम सब राधाकृष्ण मंदीरके भक्तो प्रेमसे उनका स्वागत करते है. सब भक्तोकी औरसे
ये यादगीरी दी जा रही है प्रेम से स्वीकारके आशिर्वाद देना ये हमारी अपेक्षा सहित वंदन.
ली.प्रदीप ब्रह्मभट्ट और बांके बिहारी परिवारके साथ सौ श्री कृष्ण भक्तोकी याद.
ताः११/९/२०१३ ह्युस्टन,टेक्षास,यु.एस.ए.
September 6th 2013
. અંતિમ ઇચ્છા
તાઃ૬/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા છોકરાં ને મારી વ્હાલીવહુ,કેવી રીતે હુ છોડી જઉ સૌ
પ્રેમનીકેડી પકડીલેતા,નાછુટશે આદેહ એમ મને સૌ કહેતા
. …………………… મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
માયા મળેલ જીવને અવનીએ,એજ બંધન આપતી જાય
જન્મ મૃત્યુનો સંબંધ છે જીવનો,ના જગે કોઇથીય છટકાય
સંસારી હોય કે સંત અવનીએ,એજ જીવની પકડ કહેવાય
કર્મની ઉજ્વળકેડી નામળતા,જીવને અવતરણ મળીજાય
. ……………………..મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
કુદરતની આઅતુટલીલા,જીવ સ્વાર્થભર્યા સંસારે લબદાય
દેહ મળતા જીવને ધરતીએ,નિર્મળતા દુર ભાગતી દેખાય
વર્તન વાણી એ છે પ્રકૃતી દેહની,જીવને એજ જકડતી જાય
અંતિમ ઇચ્છા જીવનીસાચી,જે નિર્મળ ભક્તિથી મળી જાય
. ……………………..મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
+++++++++++++++++++++++++++++++++++++++
August 27th 2013

. . સફળતાની કેડી
તાઃ૨૫/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવી ગાથા છે ગુજરાતીઓની,સૌ વ્યાધીઓને આંબી જાય
સફળતાની કેડી મેળવવા કાજે,મહેનતે નામના પામી જાય
. …………………ગરવી ગાથા છે ગુજરાતીઓની.
નાસા આવી પકડી કેડી,અવકાશનુ એ જ્ઞાન કરાવતા જાય
ચંદ્રની ચોકી પકડી લીધી,ને માનવીને અવકાશે દોરી જાય
કર્મની કેડી ઉજ્વળ કરીને,મારીયાના સંગે જીવન જોડીજાય
વડોદરાથી આવીને કમલેશભાઇ,ગુજરાતીઓનુ ગૌરવ થાય
. ………………….ગરવી ગાથા છે ગુજરાતીઓની.
કીર્તી કેરા વાદળ ધુમતાં,જીવનમાં સફળતાઓ મળતી જાય
કમલેશભાઇની ઉજ્વળ કેડી,શ્રધ્ધા વિશ્વાસથી ચાલતી જાય
મળ્યો સંગ જ્યાં માનવતાનો,જલાસાંઇની અપારકૃપા થાય
મોહમાયાને ત્યજી દેતા જીવનમાં,સંતાનનો સ્નેહ મળી જાય
. …………………….ગરવી ગાથા છે ગુજરાતીઓની.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
. .અમેરીકાની અનેક સિધ્ધીઓને આંબીને વડોદરાના શ્રી કમલેશભાઇ લુલા
નાસાના મુખ્ય વૈજ્ઞાનિક થઈ અને ભારતનું ગૌરવ અને અમેરીકાની સીધ્ધી બની ગયા
છે જે ગુજરાતીઓ માટે ખુબ જ અભિમાન છે.જેને અમેરીકન સરકારે પણ સ્વીકારી તેમનુ
સન્માન કરેલ છે.હ્યુસ્ટનના કલા અને સાહિત્ય પ્રેમી ગુજરાતીઓને પણ આનંદ છે કારણ
તેઓ એક સારા લેખક પણ છે.જેની યાદ રૂપે અને સન્માન સ્વરૂપે આ લખાણ હું સપ્રેમ
અર્પણ કરુ છુ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલા સાહિત્યપ્રેમીઓ. તાઃ૧૮/૮/૨૦૧૩
August 23rd 2013
. પ્રસંગનો પ્રેમ
તાઃ૨૩/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને,જ્યાં પ્રીતીનો પ્રેમ મળી જાય
હ્યુસ્ટન આવી પ્રેમથી મહેનત કરતાં,આજીવન સરળ થઈ જાય
. …………………….ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
મળી માનવતા સંતાનને પ્રેમથી,ભણતરની કેડી પકડાઇ જાય
સંસ્કારનું સિંચન માબાપથી મળતા,પાવન રાહને મેળવી જાય
આવતીકાલને ઉજ્વળ કરવા કાજે,આશીર્વાદની કૃપા પણ થાય
ભાઇબહેનનીકેડી નિશીતકુમારની,બહેનપ્રીતીને પ્રેમે આપીજાય
. …………………….ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
મળે સંસ્કાર જીવને અવનીએ,એજ મલેલ જન્મ સફળ કરી જાય
જન્મદીનનો લ્હાવો લેવા આજે,અલ્પેશકુમારને કૅક ખવડાવાય
અનંતઆનંદ સૌનેથયો આજે,જ્યાં પ્રેમને વહેંચીને આનંદથાય
મળ્યા પ્રેમના સંસ્કાર અવનીએ,જે મળેલ જન્મ સફળ કરી જાય
. …………………..ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
++++++++++++++++++++++++++++++++++++++++
. .રક્ષાબંધનના પવિત્ર તહેવારે અ.સૌ.પ્રીતીબેનને ચી.નિશીતકુમાર રાખડી બાંધી
ભાઇનો પ્રેમ આપ્યો.તે ઘણોજ આનંદનો પ્રસંગ હતો.સાથે બીજે દીવસે ચી અલ્પેશકુમારનો
જન્મદીવસ હતો તો તેને પણ ઉજવી આનંદનો લાભ લીધો.તેની યાદ રૂપે આ લખાણ
અ.સૌ. પ્રીતી અને ચી. અલ્કેશકુમારને અમારા તરફથી ભેંટ
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ અને નિશીતકુમારના જય જલારામ
August 20th 2013

. .ભાઇબહેનનો પ્રેમ
તાઃ૨૦/૮/૨૦૧૩ (રક્ષાબંધન) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની સાંકળ જગતમાં,ભાઇબહેનના પ્રેમથીજ મળી જાય
રક્ષાબંધનનો તહેવાર આવતા જ,પ્રેમ નિતરતા આંખો ભીની થાય
. ……………………… પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.
ઉજ્વળ જીવનની રાહ મળે ભાઇને,જ્યાં બહેનનો પ્રેમ મળી જાય
સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શતા,ભાઇબહેનના પ્રેમની કદર થાય
આવી આંગણે કૃપા મળે જલાસાંઇની,આ જન્મ સફળ થઈ જાય
મોહમાયાના બંધન છુટતા જીવના,ભવોભવના બંધન છુટીજાય
. …………………….પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.
ભાઇબહેનના પ્રેમના બંધન,ના લોહીના સંબંધથી કદી સચવાય
મળેપ્રેમ જગતમાં સાચો જીવને,જે બંધન સાચા છે એમ કહેવાય
વડીલને વંદન કરતા તો જીવનમાં,ના રાહ કદી આડી મેળવાય
વિપુલાબેનનો પ્રેમ મળે ભાઇ પ્રદીપને,જીવન ઉજ્વળ કરી જાય
. ………………………પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.
***************************************************
July 22nd 2013

. . ગુરૂપુર્ણિમા
તાઃ૨૨/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક પ્રસરતા,આ જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં ગુરૂજીને સાચા વંદન થાય
. …………………માનવતાની મહેંક પ્રસરતા.
માનવજીવનમાં અનેક મુંઝવણ,ના કોઇનાથી છટકાય
સાચીરાહ મળે માનવને,જ્યાંસદમાર્ગને પકડી ચલાય
અંતરની અભિલાષા ફળતા,જીવનમાં હૈયે આનંદ થાય
મળેકૃપા જલાસાંઇની પ્રદીપને,જ્યાં પ્રેમથી વંદનથાય
. ……………………માનવતાની મહેંક પ્રસરતા.
હિન્દુ ધર્મમાં અનેક રાહે,પરમાત્માને જીવનમાં પુંજાય
ગુરૂ શિક્ષક એ માર્ગ દર્શક છે,જીવને રાહસાચી દઈ જાય
મળે જ્યાં આશિર્વાદવડીલના,જીવ સદગતી પામીજાય
માયામોહના બંધન પણ તુટતા,આફત પણ ભાગી જાય
. …………………….માનવતાની મહેંક પ્રસરતા.
+++++++++++++++++++++++++++++++++++++